ભરુચમાં બિલ્ડર પોતાના પરિવાર સાથે કુળદેવીના દર્શને ગયો અને ઘરમાંથી થઇ એક કરોડની ચોરી

Subham Bhatt
1 Min Read

આ અંગે મળતી માહિતી પ્રમાણે, ભરૂચમાં બિલ્ડર ધર્મેશભાઇ દિનેશચંદ્ર તાપીયાવાલા પરિવાર સાથે મોઢેશ્વરી માતાના દર્શને મોઢેરા ગયા હતા. 12 જૂનના આ પરિવાર ઘર બંધ કરીને કુળદેવીના દર્શને ગયા હતા. આ લોકો 14મી જૂને વહેલી સવારે પરત આવી ગયા હતા. પરિવાર પરત આવ્યો ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો હતો. આ સાથે ઘરનો સામાન પણ વેરવિખેર હાલતમાં પડ્યો હતો. જેથી તેમને લાગ્યું કે, ઘરમાં ચોરી થઇ છે.

In Bharuch, the builder went to see Kuldevi with his family and stole Rs one crore from the house

 

ચોરોએ ઘરમાં પ્રવેશવા માટે જાળીવાળા દરવાજાનો નકુચો તોડી નાંખ્યો હતો. જે બાદ દરવાજાનું ઇન્ટર લોક તોડીને ઘરમાં પ્રવેશ્યા હતા. જે બાદ તસ્કરોએ ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળના રૂમમાં આવેલા લાકડાના કબાટમાંથી કુલ રોકડા 1,03,96,500 રુપિયાની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા.

Share This Article