વલસાડ : ગાંધીજીની 150મી જન્મજયંતીની ઉજવણી કરાઈ

admin
1 Min Read

આજે મહાત્મા ગાંધીજીની જન્મજયંતી છે. ત્યારે વહેલી સવારથી રાજકિય, સામાજિક, સેવાભાવી સંસ્થા, સ્કુલ, કોલેજોમાં પ્રાર્થનાસભા સાથે ગાંધીજીને યાદ કરાયા હતા. વાપી નગરપાલિકા દ્વારા વેહલી સવારે ગાંધીની 150મી જન્મ જ્યંતીની પી.ડબ્લ્યૂ.ડી. સર્કિટ હાઉસ ખાતે ઉજવણી કરી છે. અને ગાંધીજીના જીવન વિશે માહિતી આપી હતી. વધુમાં વાપી પાલિકા દ્વારા જણાવતા કહ્યું હતું કે ગાંધીજીને સત્ય ખૂબ પસંદ હતુ અને તેમને પોતાના જીવનમાં આનો પ્રયોગ પણ કર્યો છે. ગાંધીજીના બલિદાન અને ચળવળે દેશને અંગ્રેજોથી આઝાદી અપાવી હતી.. આ પ્રસંગે વાપી નગરપાલિકાના દર્પણ ડી. ઓઝા, વિઠ્ઠલ.આર પટેલ, શ્રીમતિ મુકુંદા ડી.પટેલ, દિલીપ ટી.દેસાઈ, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article