મહેસાણા : પત્રકાર પર હુમલાનો મામલો

admin
1 Min Read

ગુજરાતમાં રાજકીય નેતાઓની લુખ્ખાગીરી પ્રતિદિવસ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. નેતાઓના નામે કંઇને કંઇ બબાલ કર્યાના સમાચાર આવ્યા દિવસે સમાચાર પત્રોમાં ચમકી રહ્યાં છે. ત્યારે બનાસકાંઠામાં ખાનગી કંપનીના પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટનાના પગલે ચકચાર મચી છે. માનવામાં આવી રહ્યુ છે કે, ભાજપાના સ્થાનિક નેતા એલ.કે. બારડના ભાઈ વદનસિંહ અને તેમના મળતિયાઓ દ્વારા પત્રકારોને માર મારવામાં આવ્યો છે. પત્રકારો પર હુમલા અંગે મહેસાણા ખેરાલુ વિધાનસભાના પ્રચારમાં પહોંચેલ નીતિન પટેલે પોતાનું નિવેદન આપ્યુ હતું. તેમણે આ ઘટનાને કડક શબ્દોમાં વખોડી કાઢી હતી. તેમણે જણાવ્યુ કે, કોઈપણ પક્ષનો વ્યક્તિ હોય ભાજપ કે કોંગ્રેસે તેને જે કૃત્ય કર્યું છે તે મામલે તેની સામે દંડનીય કાર્યવાહી થશે. જે કેમેરામેન અને પત્રકાર ઘાયલ થયા છે તેમને યોગ્ય સારવાર મળે તે માટે વ્યવસ્થા કરાઈ છે  .

Share This Article