ગીર સોમનાથ : ભાલકાના ડાયરામાં કરોડો રુપિયા ઉડ્યા

admin
1 Min Read

ગીર સોમનાથના વેરાવળ ખાતે આવેલ ભાલકા તીર્થ મંદિરના સુવર્ણ શિખર ધર્મ ધ્વજા મહોત્સવનો ત્રિદિવસીય કાર્યક્રમ યોજાયો હતો જેમાં 13 ઓક્ટોબરના મહોત્સવના અંતિમ દિવસે આહીર સમાજ દ્વારા લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાયરામા લોકગાયક રાજભા ગઢવી, માયાભાઈ આહીર તેમજ તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય અને આહીર સમાજના પ્રમુખ ભગવાન બારડ, રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેર પર મન મૂકીને આહીર સમાજ દ્વારા લાખો રૂપિયાનો વરસાદ કર્યો હતો. ત્યારે કેનેડા સ્થિત એન.આર.આઇ આશિષ જાલોન્દ્રા નામના વ્યક્તિએ ઓન લાઇન ડોલર ડોનેટ કર્યા હતા.ડાયરામા હજારોની સંખ્યામાં માનવ મહેરામન ઉમટી પડ્યું હતું અને ભગવાન શ્રી કૃષ્ણના નામ પર આહીર સમાજ ના લોકો રૂપિયા ઉડાવવાની શરૂઆત કરી અને માત્ર એક કલાકમાં લાખો રૂપિયાનો વરસાદ કર્યો હતો.

 

Share This Article