ભારત સાથ જણાવવાનું કે, ગીર–સોમનાથ જીલ્લાના ઉના તાલુકાના દેલવાડા ગામના સરપંચશ્રીના પ્રતિનિધિ અને વહીવટકર્તા વિજયભાઈ લાખાભાઈ બાંભણીયાનુ આજરોજ તા. ૦૩-૦૬-૨૦૨૨ સવારના ૧૧:૩૦ કલાકે જેશીંગભાઈ શામજીભાઈ રાઠોડ તેમના કાર્યાલય રૂબરૂ મુલાકાત લેતા તેઓને અપશબ્દ બોલતા તે તારા બાપજીનો બગીચો નથી. આ મારી ઓફીસ છે. મારૂ મન પડે તેને હું આવવા દઉં મારૂ મન પડે તેની સાથે ટેલીફોન ઉપર વાત કરીશ અને ઓફીસની બહાર તેઓએ તારા બાપજીનો બગીચો નથી. તેવા અપશબ્દોનો બોલીને અમોને જાતી આધારીત અપમાન કરેલ છે.
અને તેઓએ સ્પષ્ટ ચોખ્ખા શબ્દોમાં કીધેલુ કે જો હવે પછી મારી ઓફીસ ઉપર આવ્યો છે તો મારા જેવો માથાભારે કોઈ નથી. અને અહીં થી તુ ચાલ્યો જા નહીંતો સારાવાટ નહી રહે. અમો અનુસુચિત જાતીના છીએ. અને આવા સરપંચશ્રીના પ્રતિનિધિ હોય તેવા વિજયભાઈ લાખાભાઈ બાંભણીયાએ જેશીંગભાઈ શામજીભાઈ રાઠોડને અપમાનીત કરી અને ઓફીસની બહાર કાઢી મુકેલ છે.જેથી આપ સાહેબશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે આવા લોકોને કાયદાનો પાઠ ભણાવવા જોઈએ અને હોદ્દા ઉપરથી દુર કરવા જોઈએ તેવી આપ સાહેબ પાસે મારી લાગણી અને માંગણી