વાપીના ડુંગરી ફળિયામાં લાગી ભીષણ આગ

admin
1 Min Read

વાપીમાં એક આગની ઘટના સામે આવી રહી છે. વાપીના ડુંગળી ફળિયામાં ભીષણ આગ લાગવાથી લોકોમાં નાશભાગ મચવા પામી હતી. ભંગારના ગોડાઉનમાં આગ લાગવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. તમને જણાવી દઈએ કે આ ભંગારનું ગોડાઉન રહેણાંક વિસ્તારની નજીક જ આવેલું હોવાથી આસપાસમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર ફાઈટરની આ બાબતની જાણ થતા ફાયર ટીમ ઘટના સ્થેળે ઘસી આવી હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા અન વાપીના ઉમરગામ ખાતે આવેલ 10 માળના ટાવરમાં ભોયતળિયે વીજ મીટરમાં અચાનક આગ લાગવાનો બનાવ બન્યો હતો. તે બાદ રહીશોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. બિલ્ડીંગમાં ફાયર સેફટીની સુવિધાના અભાવે મુશ્કેલી ઉભી થઈ હતી.  10 મજલી બિલ્ડીંગમાં ફાયર સેફટીના સુવિધાના અભાવે આગને કાબુમાં લેવા માટે મુશ્કેલી ઉભી થઈ હતી.

Share This Article