કેનાલના પાણીમાંથી લાશ મળી

admin
1 Min Read

જુનાગઢના માંગરોળના દિવાસા ગામે એક આશરે ૪૫ વર્ષના આધેડની હત્યા કરી  ને લાશને પાણીની કેનાલમાં ફેકી દિધાનો બનાવ સામે આવ્યો છે તો લાશની કેનાલમા હોવાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને લાશને કેનાલના પાણી માથી બહાર કાઢવામા આવી હતી , તો દિવાસાના રામજી મેપા પરમાર આશરે ઉમર વર્ષ 45ની લાશ હોવાની માહિતિ મળવા પામી હતી તો હત્યા ગળો ફાંસો આપીને કરાઇ હોવાનું પ્રાથમીક તારણ લગાવવામા આવ્યુ હતુ , તો શીલ પોલીસ દ્વારા ગણતરી ની કલાકોમા બે શંકાસ્પદ  શખ્શોની ધરપકડ કરવામા આવી છે તો હત્યા પાછળ સ્ત્રી પાત્રનું કારણ હોવાનું અનુમાન પણ લગાવવામા આવી રહ્યુ છે,મરનારની લાશને  માંગરોળની સરકારી હોસ્પીટલ ખાતે પી.એમ માટે મોકલી અપાવામા આવી હતી તો વધુ તપાસ શીલ પોલીશ દ્વારા શરૂ કરવામા આવી છે, પોલીસની ચોકસાઇ ભરી તપાસ પછીજ હત્યા થયા પાછળ નુ સત્ય બહાર આવશે .

Share This Article