પંચમહાલ-રાહૂલ ગાંધીના કાર્યક્રમને લઈને ગોધરા ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ

Subham Bhatt
1 Min Read

પંચમહાલના દાહોદ ખાતે યોજાનારા રાહૂલ ગાંધીના કાર્યક્રમને લઈને ગોધરા ખાતે પ્રેસ કોન્ફરન્સયોજવામા આવી હતી. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સર્કિટ હાઉસ ખાતે રાહુલ ગાંધીના દાહોદ કાર્યક્રમને લઇને બેઠક યોજવામાં આવી હતી. દાહોદ ખાતે તેઓ જનસભાને સંબોધીત કરશે.

A press conference was held at Godhra regarding the program of Panchmahal-Rahul Gandhi

પડોશી જિલ્લા દાહોદમાં આગામી તારીખ 10 મેં 2022ના રોજ આદિવાસી સત્યાગ્રહ રેલીને અખિલ ભારતીયરાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના આગેવાન રાહુલ ગાંધીજી સંબોધિત કરવા ઉપસ્થિત રહેવાના છે જે અંગે પ્રેસકોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, AICC મંત્રી વિરેન્દ્ર સિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા, તેઓએરાહુલ ગાંધીના કાર્યક્રમના આયોજન અંગે મીડિયાને આપી હતી, જેમાં પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભાટી અને યુથ કોંગ્રેસના મિકી જોશેફ પણ ઊપસ્થિત રહ્યા હતા.

Share This Article