વડિયાનાં સનાળા ગામે મોડી રાત્રીએ બે ભુખ્યા વનરાજો દ્વારા ગાયોનું મારણ કરવામા આવતા આસપાસની સીમ વિસ્તારોમાં રહેતા ખેડુતોમાં ભય ફેલાયો હતો. આ બનાવની વધુ વિગતો અનુસાર વડિયા તાલુકાનાં સનાળા ગામે આવેલ બાધાભાઇ ભરવાડની વાડીએ મોડી રાત્રીનાં 12 વાગ્યાનાં આસપાસ બે ભુખ્યા સિંહો દ્વારા ગાયનું મારણ કરવામાં આવ્યું હતું. આ ઘટનાંથી આસપાસમાં રહેતા ખેડુતોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ કુંકાવાવ આર.એફ.ઓ.વાધજીભાઇ ડવ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસ શરૂ કરવામા આવી હતી. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા ગીરના જંગલો સાવજોનું ઘર છે અને સ્વાભાવિક રીતે તેઓ તેમના ઘર સમાન સમગ્ર જંગલ વિસ્તારમાં ઘૂમતા જોવા મળે છે. ગીરના સિંહોની તે પણ ખાસિયત જોવા મળી છે કે તેઓ માનવજાત જાત સાથે એટલા હળી મળી ગયા છે કે તમે તેમનાથી વીસ ફૂટ દૂર હો તો પણ તેઓ વિચલિત થતા નથી. આવો જ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિ બે સિંહણોની આગળ બેસીને પોતાનો વીડિયો શૂટ કરાવડાવે છે.