અમરેલી-વડિયા કોરોનાનું સંક્રમણ ગામડાઓમાં વધતા વિપક્ષ નેતા પરેશ ધનાણીએ ગામડાની તેમજ વડિયા સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોચ્યા હતા. અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયા અને કુંકાવાવને કન્ટેઇનમેન્ટ જોન જાહેર કરવામાં આવ્યો છે
ત્યારે કુંકાવાવ વડિયાના પોતાના મત વિસ્તારમાં નેતા વિપક્ષ પરેશ ધાનાણી દર્દીઓના વ્હારે આવ્યા છે જેમાં પરેશ ધનાણીએ સિવિલ હોસ્પિટલના ડો તેમજ સ્ટાફ સાથે ચર્ચા કરી અને હોસ્પિટલને ખૂટતી તમામ સુવિધા પૂરી પાડવાની ખાતરી આપી હતી. પરેશ ધનાણીએ આ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે આ સિવિલ હોસ્પિલને કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવે તો આશરે 50 દર્દીઓને લાભ મળી શકે છે.