સાબરકાંઠા : વીર પ્રતાપ ફાઉન્ડેશન દર્દીને પહોંચાડે છે ફ્રી ટિફિન

admin
1 Min Read

હિંમતનગરમાં વીર પ્રતાપ ફાઉન્ડેશન દર્દી તથા તેના પરિવારને ફ્રી ટિફિન પહોંચાડે છેમાનવતાની દ્વષ્ટિએ ટિફિન લેનાર દર્દીની માહિતી પણ ગુપ્ત રખાય છે.જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ ગંભીર બની છે. ત્યારે હોસ્પિટલમાં કોરોના દર્દી તેમજ એક જ પરિવારનાં કોરોનાની ઝપેટમાં આવતા તે લોકો માટે રસોઈ બનાવવનું અશક્ય છે.

 

ઘરે કોઈ ટિફિન પણ ના આપી શકે એવી પરિસ્થિતિમાં આવો કોઈની મદદ કરીએ ના સંકલ્પ સાથે સેવા કરતાં વિર પ્રતાપ ફાઉન્ડેશનના સંસ્થાપક ભૃગુવેન્દ્રસિંહ કુંપાવત અને એમની ટીમ દ્વારા હિંમતનગર શહેર તથા હિંમતનગર તાલુકાના ગામોમાં કોરોના દર્દી તથા જે પરિવાર આખો ક્વોરન્ટાઇન છે. તેવા 800 પરિવારોને ટિફિન પહોંચાડવામાં આવે છે. જેમાં શુદ્ધ સાત્વિક ભોજન રોટલી બેશાક, દાળ, ભાત, છાસ, સલાડ પૂરું પડાય છે.દર્દીને ટિફિન લેતા સંકોચ ના થાય તેનું ધ્યાન રખાય છે. માનવતાની દ્વષ્ટિએ ટિફિન લેનાર દર્દીની માહિતી ગુપ્ત રાખવામાં આવે છે. સેવા કાર્યમાં આવો કોઈની મદદ કરીએ ના સંસ્થાપક ભૃગુવેન્દ્રસિંહ કુંપાવત અને વનરાજસિંહ રાઠોડ સહિતના સેવાભાવી લોકો જોડાયા છે.

Share This Article