ભિલોડા તાલુકાના પાદરા ગામના બીપીન નિનામા ઉ.વ.16 નું શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજયું હતું.જુના ઘરના આંગણામાં લાકડાના મોભે મૃતકના જ શર્ટના બનાવેલ ફાંસડે લટકતો મૃતદેહ દશેરાની પરોઢે મળી આવતાં પરીવારજનો ઉપર આભ તૂટી પડયું હતું.અને ભારે આક્રંદ અને રોષ સાથે આ મૃતકની લાશને ભિલોડા કોટેજ હોસ્પિટલ ખાતે લવાઈ હતી.પોલીસે આ પ્રકરણે અકસ્માતે મોત આત્મહત્યા નો ગુનો નોંધતાં જ પરીવારજનોમાં ભારે રોષ ઉઠયો હતો.અને હત્યાનો ગુનો નોંધવા ની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો જ ઈન્કારી દેવાતાં મામલો બીચકાયો હતો.અને ભિલોડા પોલીસને ગત બુધવારના રોજ હત્યાનો ગુનો નોંધવાની ફરજ પડી હતી.ભિલોડા પોલીસે હિતેશભાઈ રમેશભાઈ નિનામા ની ફરીયાદ ના આધારે પાદરા ગામ ના જ દાદા,પિતા અને પુત્ર એવા ત્રણ ઈસમો સામે તેમની ભાણેજ સાથે ના આડા સંબંધના વહેમમાં આ સગીરની હત્યા કરી દેવાઈ હોવાનો ગુનો નોંધાયો હતો.પરંતુ હત્યાનો ગુનો નોંધાયા બાદ આ મૃતકના પરિવારજનોએ પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યા પછી જ મૃતદેહ લઈ જવાની ચીમકી ઉચ્ચારતાં જ હોબાળો મચ્યો હતો.અને કાયદો- વ્યવસ્થાની સ્થિતિ જાળવવા જિલ્લાભરની પોલીસ ભિલોડા પોલીસ સ્ટેશન,કોટેજ હોસ્પિટલ અને પાદરા ગામે ઉતારી દેવાઈ હતી.
અરવલ્લી : પાદરાના યુવકના મોતનો મામલો
You Might Also Like
Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a comment
Leave a comment