ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નર્મદા ડેમ ઓવરફ્લો થયો હતો. નર્મદામાં રહેલું પાણી ધરોઈ ડેમમાં છોડવામાં આવે તે બાબતે ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ દ્વારા રાજ્યના પાણી પુવાથા મંત્રી કુંવરજી બાવળીયાને પત્ર લખવામાં આવ્યો હતો. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે નર્મદાના પાણીથી ધરોઈ ડેમ તથા ઉંજા, વડનગર, વિજાપુર તાલુકાના તળાવોમાં ભરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ મહેસાણા જીલ્લામાં પડયો હતો. અને તેથી પણ ઓછો વરસાદ ઊંઝા તાલુકામાં થયેલ છે. જેથી ધરોઈ ડેમ ભરવા માટે રજૂઆત કરવામાં આવી છે. વધુમાં આશાબેને પત્રમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં શિયાળુ અને ઉનાળામાં પીવાના પાણીની અને ખેતી માટેના પાણીની જરૂરિયાત પૂરી કરવા તળાવોમાં પાણી ભરવામાં આવે.