જામનગર-બાળલગ્ન અટકાયત અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

Subham Bhatt
2 Min Read

હાલ આપણે મોર્ડન યુગમાં જીવન જીવી રહ્યાનો દાવો કરતા હોઈએ છીએ કે જ્યાં કુરિવાજો માટે કોઈસ્થાન નથી. તમામ કુરિવાજો સમાજમાંથી નાબુદ થઇ ગયા છે એવી માનસિકતા સાથે આજે દરેક વ્યક્તિપોતાનું જીવન જીવી રહયા છે. પ્રગતિની હરણફાળ ભરેલ ઝીંદગી વચ્ચે આજે પણ અમુક ગેરમાન્યતાઓઅને કુરિવાજોનું અસ્તિત્વ છે અને આજે પણ બાળકો તેમજ મહિલાઓ તેનો ભોગ બની રહયા છે. આગેરમાન્યતાઓ અને કુરિવાજોનું પ્રમાણ પહેલા કરતા ઘણું ઓછુ છે એવું ચોક્કસ કહી શકાય પરતું તેનેજળ-મૂળથી નાબુદ કરવામાં હજુ પણ ક્યાંક નિષ્ફળ રહ્યા હોય તેવું અમુક ઘટનોમાંથી પ્રતીત થતું હોય છે.આજે પણ સમાજમાં ભ્રૂણહત્યા, બાળમજુરી અને બાળલગ્ન વિષય પર જાગૃતિના કાર્યક્રમોનું આયોજનકરી તેને જળ-મૂળથી નાબુદ કરવાના પ્રયત્નો કરવા પડતા હોય છે કારણ કે આજે પણ અમુક સમાજમાં,જ્ઞાતિમાં કે સમુદાયમાં બાળલગ્ન કરાવવા તે સમાન્ય બાબત સમજી કાયદામાં નક્કી કરવામાં આવેલઉમર પહેલા જ બાળકોના લગ્ન કરાવવામાં આવતા હોય છે. અખાત્રીજને લગ્ન માટે ખુબ સારો દિવસમાનવામાં આવતો હોય છે માટે આ દિવસે લગ્નના સારા મૂહર્તને કારણે સામાન્ય દિવસો કરતા લગ્ન વધુ થતા હોય છે. આ લગ્નમાં અમુક બાળલગ્ન થવાની સંભાવનાઓ પણ વધી જતી હોય છે

Awareness program on Jamnagar-Child Marriage Detention was held

જે વિસ્તારમાં બાળલગ્ન થવાની સંભાવનાઓ વધારે હોય છે એવા જુદા જુદા વિસ્તારોમાં સ્વ.જે.વી નારીયા એજ્યુકેશનએન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અંતર્ગત સંચાલિત ચાઈલ્ડ લાઈન 1098 ટીમ દ્વારા જાગૃતિ કાર્યક્રમોનું આયોજનકરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિવધ પોસ્ટરોના માધ્યમથી બાળકો અને વિસ્તારના લોકોનેબાળકોના મૂળભૂત અધિકારો, બાળલગ્ન, બાળમજુરી અને જાતીય શોષણ જેવા મુદ્દાઓ પર વિસ્તૃતમાહિતી આપવામાં આવી હતી. છોકરીના 18 વર્ષ અને છોકરાના 21 વર્ષ પહેલા જો લગ્ન કરવામાં આવેતો તે બાળ લગ્ન છે અને આવા બાળલગ્ન અટકાવવા માટે ચાઈલ્ડલાઈન 1098 અથવા જીલ્લા બાળસુરક્ષા એકમ 0288-2571098 અથવા જીલ્લા સમાજસુરક્ષા તેમજ બાળ લગ્ન પ્રતિબંધ અધિકારીનીકચેરી અથવા 100 નંબર પર એક જાગૃત નાગરિક તરીકે કોઈ પણ વ્યક્તિ માહિતી આપી શકે છે.બાળલગ્નની માહિતી આપના વ્યક્તિની ઓળખ ગોપનીય રાખવામાં આવશે . આ બાબતે પણ માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કુલ 70 બાળકો તેમજ વિસ્તારના લોકો સહભાગી થયા હતા.

Share This Article