ભરુચ- નર્મદા મૈયા બ્રિજ પર ભારે વાહનો ઉપર પ્રતિબંધનું જાહેરનામું બહાર પડશે

Subham Bhatt
1 Min Read

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપર ભારે વાહનોને પ્રવેશ નહિ હોવા છતાં બેરોકટોક રમફાટ પસાર થતા એક વર્ષની અંદરઅકસ્માતોની હારમાળા સર્જાઈ હતી. જેને લઈ તંત્ર 25 મે થી તમામ ભારે વાહનો ઉપર પ્રતિબંધનું જાહેરનામું જારી કરવા જઈરહ્યું છે. ભરૂચની નર્મદા નદી ઉપર ગોલ્ડનબ્રિજને સમાંતર ફોરલેન નર્મદા મૈયા બ્રિજનું ગત વર્ષે અષાઢી બીજથી લોકાર્પણ કરાયુંહતું. હજી બ્રિજ કાર્યરત થયાને એક વર્ષ પણ થયો નથી ત્યાં 450 કરોડથી વધુના ખર્ચે બનેલા બ્રિજ ઉપર ભારે વાહનોના લીધે અકસ્માતોની વણઝાર સર્જાઈ ગઈ હતી. નર્મદા મૈયા બ્રિજ ઉપર અકસ્માતો ટાળવા ધારાસભ્ય દુષ્યંત પટેલે રાજ્યના માર્ગ અને મકાન વિભાગના કેબિનેટ મંત્રી પૂર્ણૅશ મોદીને રજુઆત કરી હતી.

Bharuch: A ban on heavy vehicles will be announced on the Narmada Maiya Bridge

નર્મદા મૈયા બ્રિજ ઉપર જે ભારે વાહનો જતા હતા અનેઅકસ્માતો સર્જાતા હતા જેનું સુખદ નિવારણ આવ્યું છે તેમ ધારાસભ્ય દુષ્યંત પટેલે જણાવ્યું છે. જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએકહ્યું હતું કે, શનિવારે જાહેરનામું પ્રસિદ્ધ કરી 25 મે થી નર્મદા મૈયા બ્રિજ પર ભારે વાહનોના અવરજવર પર પ્રતિબંધમુકાશે.બીજી તરફ સાંજે પીક અવર્સમાં ભરૂચમાં નર્મદા ચોકડી, એબીસી ચોકડી, કોલેજ રોડ, અંકલેશ્વરમાં મહાવીર ટર્નીગ,વાલિયા અને પ્રતિન ચોકડી ઉપર ટ્રાફિકજામ સર્જાતો હતો. જેનું મૂળ કારણ ખાનગી ભારે વાહનો નર્મદા બ્રિજ પરથી પસાર થવાનો આગ્રહ રાખતા હોવાનું હતું…

Share This Article