ભાવનગર શહેરના કાળુભા પાસે સત્યનારાયણ રોડ પર મહાવીર હાર્ડવેરમાં નોકરી કરતા રાજુ ઉર્ફે અજય જેમલભાઈ મકવાણાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરાઈ હતી. શહેરમાં દિવાળી તહેવાર નિમિત્તે ખુની ખેલ ખેલાતા અરેરાટી ફેલાઈ જવા પામી છે. રાજુ મકવાણા નામના યુવાનને અજાણ્યા ઈસમો દ્વારા તિક્ષ્ણ હથિયારો વડે ઘા ઝીંકી હત્યા કરી ફરાર થઈ ગયો હતો.પ્રાપ્ત વિગત અનુસાર રાજુભાઈ મકવાણા તે સત્યનારાયણ રોડ પર મહાવીર હાર્ડવેરમાં નોકરી કરે છે. ત્યાર મરનાર પોતે સાઈકલ પર આવીને દુકાનમાં જઈ તીક્ષ્ણ હથિયાર વડે આડેધડ ઘા મારીને ઢીમ ઢાળી દીધ હતું. હત્યા કર્યા બાદ આરોપી પોતે પોલીસ સ્ટેશનમાં જઈને હાજર થઈ ગયો હતો. આ બનાવને પગલે એલસીબી, એસઓજી તથા નિલમગબાગ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી હતી. આરોપીનુ નામ અશોક હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
ભાવનગર : સત્યનારાયણ રોડ પર યુવકની હત્યા
You Might Also Like
Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.