મૂળ અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર અને બહુચરાજીના ગામ એવા વિઠલાપૂર પોલીસની દબંગાઈ સામે આવી છે. મળતી માહિતી મુજબ, વિઠલાપુર ગામની સિમમાં શ્રાવણીયો જુગાર રમી રહેલ શ્રવણ ઝાલા નામના યુવકને પોલીસે પકડી પાડી જુગારના કેસમાં પતાવટ મામલે લાંચ માંગી હતી. પીએસઆઈએ આ માટે યુવક પાસેથી 50 હજાર રુપિયાની માંગ કરી હતી. જોકે, યુવક રકમ ચુકવી શકે એમ ન હોવાના કારણે પીએસઆઈએ તેને મૂઠ માર માર્યો હતો. શ્રવણ ઝાલા નામના યુવકને લાકડી, બેલ્ટ વડે માર મારવામાં આવતા યુવકના લાલ જામા પડી ગયા હતા. જેના કારણે તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી હતી. તો બનાવની સમગ્ર વિગત ઘાયલ યુવકે મીડિયા સમક્ષ જણાવતા મામલાએ વધુ વિવાદ ઉભો કરી દીધો છે અને પોલીસની કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે. શ્રવણ ઝાલાએ પોલીસ સામે ગંભીર આરોપ લગાવતા તેની પર ગુજારેલા સિતમ અંગે ન્યાયની માંગ કરી હતી.
- Advertisement -
Latest News
- Advertisement -