પૂજ્ય રંગ અવધૂતની ૧૨૧મી જન્મ જયંતીની વડોદરા શહેરમાં શ્રદ્ધાભેર ઊજવણી કરાઈ રહી છે. મળતી વધુ માહિતી અનુસાર નારેશ્વરના નાથ રંગ અવધૂત બાપજીના 121માં જન્મ જયંતી ઉજવણીના ભાગરૂપે ભુતડી ઝાંપા ખાતે આવેલ રંગ અવધૂત મંદિર ખાતે સવારથી જ શ્રદ્ધાળુઓની દર્શનાર્થે ભીડ જોવા મળી હતી. મંદિર ખાતે પણ આજે ૧૬ ઉપચારથી બાપજીના પાદુકાની પૂજન વિધિ કરવામાં આવી હતી અને બપોરે અન્નકૂટના દર્શન ભક્તો માટે ખુલ્લા મુકવામાં આવશે. સાંજે કીર્તન અને ભજન પણ યોજવામાં આવનાર છે તેઓ વ્યવસ્થાપકોએ જણાવ્યું હતું.