Connect with us

જામનગર

ક્રિકેટર રવીન્દ્ર જાડેજાને અર્જુન એવોર્ડ અપાશે

Published

on

જામનગરના ઓલ રાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનું નામ અર્જુન એવોર્ડ માટે નોમિનેશન થતા સીએમ અને હકૂભાએ શુભકામના પાઠવી હતી. જામનગરના પનોતા પુત્ર સર રવિન્દ્ર જાડેજાનું નામ અર્જુન એવોર્ડ માટે નોમિનેશન થતા પરિવારમાં ખુશીનો માહોલ છે. જામનગર પધારેલા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ ખુશી વ્યક્ત કરી છે. અને ગુજરાતનું નામ રોશન કર્યું હોવાનું જણાવ્યું છે.

ખાસ કરીને વર્લ્ડ કપ ફાઇનલ મેચમાં રવિન્દ્ર જાડેજાએ ધમાકેદાર બેટિંગ કરી સૌના દિલ જીતી લીધા હતા. અને રવિન્દ્ર જાડેજા બોલીગ, બેટિંગ અને ફિલ્ડીંગથી હમેશા ટીમને ઉપયોગી સાબિત થઈ રહ્યા છે. હાલ રવિન્દ્ર જાડેજા ટેસ્ટ, વન-ડે અને ટી-૨૦ ફોર્મેટમાં શાનદાર પરફોર્મન્સ કરી રહ્યા છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રવિન્દ્ર જાડેજાને શુભકામના પાઠવી છે. અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજા એ પણ રવિન્દ્ર જાડેજા નું નામ અર્જુન એવોર્ડ માટે નોમિનેટ થતાં ખુશી વ્યક્ત કરી છે. વધુમાં જણાવ્યું કે રવિન્દ્ર જાડેજાએ ક્ષત્રિય સમાજનું નામ રોશન કર્યું છે. રવીન્દ્ર જાડેજાએ 41 ટેસ્ટ, 156 વનડે અને 42 ટી 20માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. હાલમાંજ જાડેજાએ વર્લ્ડકપ 2019ના સેમિફાઇનલ મુકાબલામાં 59 બોલમાં 77 રનની ઇનિંગ રમીને લોકોના દિલ જીતી લીધા હતાં. જોકે ધમાકેદાર ઇનિંગ રમ્યા પછી પણ ભારતને 18 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ગુજરાત

જી.જી. હોસ્પિટલમાં ફાયર સેફટીના સાધનો લગાવાયા

Published

on

હોસ્પિટલમાં આગ લાગવાના અકસ્માત સર્જાય ત્યારે મોટી મુશ્કેલી સર્જાતી હોય છે. પરંતુ આવી નોબત આવે તે પહેલા જ જામનગરની જી.જી.સરકારી હોસ્પિટલમાં ફાયરની નવી સિસ્ટમો લગાડવામાં આવી છે. અદ્યતન ફાયર સેફ્ટી સિસ્ટમ પાછળ ખર્ચ કરી જી.જી. હોસ્પિટલ તંત્રએ અકસ્માત નિવારણ કરવા પ્રયાસ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રની મોટી હોસ્પિટલ તરીકે ઓળખાતી જામનગરની જી.જી. હોસ્પિટલ (આસપાસના જિલ્લાઓ માટે પણ વરદાન રૂપ સાબિત થતી રહી છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી જામનગરની જી.જી. હોસ્પિટલ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરના દર્દીઓને આરોગ્યલક્ષી સુવિધાઓ વિનામૂલ્યે પુરી પાડે છે. જી.જી. હોસ્પિટલમાં જામનગર ઉપરાંત સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં સારવાર અર્થે આવતાં હોય છે. આગ લાગવા જેવી આકસ્મિક ઘટનાઓ સમયે દર્દીઓની સલામતિ ખૂબ જ જરુરી બની જાય છે. જી.જી. હોસ્પિટલમાં રાખવામાં આવેલી ફાયર સેફટીના સાધનો સહિતની સામગ્રી અનેક વખત ચર્ચાનો વિષય બની છે. ફાયર સેફટીના સાધનો એક્સપાયરી ડેઇટના હોવાનું પણ અનેક વખત સામે આવ્યું છે. ત્યારે હવે તંત્ર દ્વારા જી.જી. હોસ્પિટલમાં અતિઆધુનિક ફાયર સિસ્ટમ લગાડવામાં આવી છે. જેથી આગ લાગવા જેવી ઘટનાઓ સમયે તુરંત આગને કાબુમાં લઇ શકાય.

Continue Reading

ગુજરાત

જામનગરમા રખડતા ઢોરની સમસ્યાને લઇને મ્યુ. કમિશનર મેદાને

Published

on

જામનગર શહેરમાં વર્ષોથી અબોલ પશુઓની સમસ્યાનો શહેરીજનો સામનો કરી રહ્યા છે. જામનગરના માર્ગો પર રખડતાં ઢોરને કારણે અકસ્માતોની ઘટનાઓ પણ બની છે.ત્યારે જામનગરમાં રખડતા ઢોર મુદ્દે તંત્ર એકશનમાં આવ્યું છે. જામનગરની એક પણ શેરી એવી નહી હોય જ્યાં રખડતા ઢોરનો ત્રાસ ન હોય! ત્યારે દિવસેને દિવસે વધતાં જતા રખડતાં ઢોરના ત્રાસને અટકાવવા તંત્રએ મન માંનવી લીધું હોય તેવું લાગી રહ્યું છે.ખુદ જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડી અને SP પ્રેમસુખ ડેલુ દ્વારા જામનગરના જાહેર રસ્તાઓ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

જામનગરમાં રખડતાં ઢોરને કારણે અકસ્માતોની ઘટનાઓ બનતી છતાં આ ગંભીર પરિસ્થિતિનું કાયમી ધોરણે નિકાલ લાવવામાં તંત્ર વામણુ સાબીત થાય છે. ત્યારે આજરોજ રખડતાં ઢોરની સમસ્યાને લઇ જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ તથા મ્યુ.કમિશનર વિજયકુમાર ખરાડી મેદાને ઉતર્યા હતાં. જામનગર શહેરનાં પંચેશ્ર્વર ટાવર વિસ્તારમાં આવેલ વંડાફળી, ભરવાડ પા સહિતના વિસ્તારોમાં પોલીસવડા અને મ્યુ.કમિશનર પહોંચ્યા હતાં અને પશુપાલકોના કડક ચેતવણી આપી હતી. સ્થળ ઉપર જ નોટીસ અપાઇ હતી. પોલીસવડા અને કમિશનર દ્વારા પશુપાલકોને અલટી મેટમ આપવામાં આવ્યું છે. ત્યારે આગામી દિવસોમાં શહેરના રાજમાર્ગો પરથી રખડતાં ઢોરના અંડીગા દુર થાય છે કે નહી તે જોવું રહ્યું…!!

Continue Reading

જામનગર

જામનગરના તમામ તાલુકાઓમાં 1.70 કરોડથી વધુના ખર્ચે નિ:શુલ્ક ડાયાલીસીસની સુવિધા ઉપલ્બધ કરાશે

Published

on

Free dialysis facility will be provided in all talukas of Jamnagar at a cost of over 1.70 crore.

આજથી દોઢ વર્ષ પહેલા જામનગર જિલ્લામાં એક માત્ર ગુરૂ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે કીડની ડાયાલીસીસની સુવિધા ઉપલબ્ધ હતી. તા.8-4-2021ના રોજ જામજોધપુર તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કીડની ડાયાલીસીસ કેન્દ્ર શરુ કરવામાં આવી હતી. જેમાં કીડનીના દર્દીઓને વિનામૂલ્યે ડાયાલીસીસની સેવા પૂરી પાડવામાં આવતી. જ્યાં આજ દિન સુધી અંદાજે 1200થી વધુ દર્દીઓને ડાયાલીસીસની સેવા પૂરી પાડવામાં આવી છે.જિલ્લાના અન્ય તાલુકાઓમાં કીડનીની સારવાર લઇ રહેલા દર્દીઓ માટે ઘર આંગણે જ ડાયાલીસીસની સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુથી જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘીના માર્ગદર્શન હેઠળ ડીસ્ટ્રીકટ મિનરલ ફાઉન્ડેશન જામનગરનાં સહયોગથી જિલ્લાના 4 સામુહિક આરોગ્ય કેન્દ્રો ધ્રોલ, જોડિયા, કાલાવડ તથા લાલપુર ખાતે રૂ.1 કરોડ 70 લાખ 80 હજારના ખર્ચે કીડની ડાયાલીસીસ કેન્દ્રો શરુ કરવામાં આવનાર છે.

Free dialysis facility will be provided in all talukas of Jamnagar at a cost of over 1.70 crore.

જેની તમામ વહીવટી તથા કીડની ઇન્સ્ટીટયુટ સાથેના MOUની પ્રકીયા પૂર્ણ કરી દેવામાં આવી છે.આગામી 2 માસમાં આ કેન્દ્રો ખાતે લોકોને વિનામૂલ્યે કીડની ડાયાલીસીસની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ 4 કેન્દ્રો ખાતે કીડની ડાયાલીસીસની સુવિધા ઉપલબ્ધ થવાથી ગુરૂ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ ખાતેનાં દર્દીઓનો ધસારો ઓછો થશે, તેમજ અંતરીયાળ વિસ્તારમાં વસતા લોકોને તેમના રહેઠાણથી નજીકમાં જ ડાયાલીસીસની સુવિધા મળી રહેવાથી તેઓને આર્થિક બચત પણ થશે. આમ આ કેન્દ્રો ખાતેની ડાયાલીસીસની સુવિધા કીડનીની સારવાર લઈ રહેલ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આ ચાર કેન્દ્રો કાર્યરત થતા જામનગર જિલ્લાને તમામ તાલુકા સ્તરે નિ:શુલ્ક સરકારી ડાયાલીસીસ સેન્ટરની સુવિધા ધરાવતા ગુજરાતના પ્રથમ જિલ્લા તરીકેનું ગૌરવ પ્રાપ્ત થશે.

Continue Reading
Uncategorized22 mins ago

ઘરની પાર્ટી માટે બેસ્ટ છે આ મેંગો મિન્ટ લસ્સી, જાણીલો બનાવાની સરળ રીત

સ્પોર્ટ્સ1 hour ago

ધોનીની IPL 2023ની ફાઈનલ વિકેટ પર પત્ની સાક્ષીની પ્રતિક્રિયા થઈ વાયરલ

સ્પોર્ટ્સ1 hour ago

વિરાટ કોહલી કે સ્ટીવ સ્મિથ કોણ તોડશે પોન્ટિંગ-ગાવસ્કરનો આ રેકોર્ડ?

નેશનલ1 hour ago

પોલીસ પાસે બિલાડીઓ કેમ નથી? દિલ્હી પોલીસે મસ્કને જણાવ્યું હતું

Uncategorized1 hour ago

સુઇ ધાગા પછી મોટા પડદે પાછી ફરશે વરુણ અને અનુષ્કાની જોડી, ફિલ્મના ડિરેક્ટર બનશે એટલી?

સ્પોર્ટ્સ1 hour ago

જો PAK ટીમે વર્લ્ડ કપમાં રમવું હોય તો આપો ગેરંટી… ICCએ લીધું મોટું પગલું

Uncategorized1 hour ago

ICC ફાઈનલમાં 20 વર્ષ પછી થશે આવું પરાક્રમ, ભારત અને ઓસ્ટ્રેલિયા ઈતિહાસનું પુનરાવર્તન કરશે

સ્પોર્ટ્સ2 hours ago

WTC ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને બરબાદ કરશે ભારતના આ 2 ખેલાડીઓ! પોન્ટિંગ આપ્યા નામ

ગુજરાત4 weeks ago

સુદાનમાંથી જ્યારે મોટા દેશો પોતાના લોકોને નીકાળી શકતા ન હતા ત્યારે ભારતે આ કરી બતાવ્યું: PM મોદી

ગુજરાત4 weeks ago

જ્યારે મોટા દેશો ના કરી શક્યા ત્યારે ભારતે સુદાનમાંથી નાગરિકોને બચાવ્યા: PM

Uncategorized4 weeks ago

સરદારધામ પ્રેરિત એકસ્પો નૂતન ભારતનું નિર્માણ કરશે : વડાપ્રધાનનું સપનું થશે સાકાર

Uncategorized3 weeks ago

યુઝવેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ, બન્યો IPLનો નંબર 1 બોલર

Uncategorized4 weeks ago

શું શાહરૂખ ખાનની ઈચ્છા પૂરી થશે? શા માટે હવે કોઈની સાથે લડવા નથી માંગતા SRK, ‘જવાન’ની રિલીઝ ડેટ અણધાર્યા

Uncategorized3 weeks ago

સ્કેમરે નોકરીની ઓફર આપી અને પછી અચાનક ખાતામાંથી 96 લાખ રૂપિયા કપાઈ ગયા

Uncategorized3 weeks ago

ચૂકશો નહીં તક ! આ મહિને ટાટા મોટર્સની આ SUV કાર પર બમ્પર ડિસ્કાઉન્ટ

Uncategorized4 weeks ago

નેલ પેઈન્ટ લગાવતી વખતે ફોલો કરો 7 ટિપ્સ, મિનિટોમાં નેલ પોલીશ જશે સુકાઈ , નખ પણ લાગશે સુંદર

Trending