ગુજરાત ફેર પ્રાઇસ સોંપ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિયશન ની કારોબારી ની બેઠક દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ અને એસોશિએશનના પ્રમુખ પ્રહલાદ ભાઈ મોદી ના અધ્યક્ષ સ્થાને પાટણ નવજીવન હોટલ ખાતે યોજાઈ હતી. જેમાં સરકાર દ્વારા ડાયરેકટ બેનિફિટ ટ્રાન્સફર ફંડ સિસ્ટમ યોજના અમલમાં મુકવામાં આવનાર છે. ત્યારે આ સિસ્ટમ ને કારણે વ્યાજબી ભાવનો દુકાનદાર ચિંતિત બન્યો છે ત્યારે આ સિસ્ટમ ને લઇ જે પરિસ્થિતિ ઉભી થાય તેની અવેજી માં સરકાર પાસે શુ માંગી શકાય તેની ચર્ચા કરી તેના વિરોધમાં આગામી રણનીતિ નક્કી કરાશે સાથે સરકાર ની સસ્તા દુકાનો ના સંચાલકો ને અનેક પડતર પ્રશ્નો ની રજુઆત પણ કરવામા આવી હતી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -