જાફરાબાદમાં સિંહોએ ૧ પશુનો કર્યો શિકાર

admin
1 Min Read

અમરેલીમાં વારંવાર સિંહો ખુલ્લા ફરતા જોવા મળતા હોય છે. સિંહો ગામમાં આવીને માણસો અથવા પશુઓ પર હુમલો કરતા હોય છે. ઘણી વાર ખેતરમાં કામ કરતા ખેડૂતો અને મજુરો પર હુમલો કરવાનાં બનાવ સામે આવ્યા છે. આ ઘટનાથી લોકોમાં ભારે ભયનો માહોલ ઉભો થયો હતો. તેવામાં ફરી એક વાર અમરેલીમાં આવેલા જાફરાબાદમાં સિંહોએ શિકાર કર્યો હતો.

આપને જણાવી દઈએ કે, જાફરાબાદમાં આવેલા નાગેશ્રી ગામ નજીક સિંહોએ શિકાર કર્યો હતો. 2 સિંહો દ્વારા 1 પશુનો શિકાર કરવામાં આવ્યો હતો. સિંહોએ ખારા વિસ્તારમા રેઢિયાર પશુનો શિકાર કરી મિજબાની માણી હતી. આ સિંહોએ શિકાર કરેલો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વન્યપ્રાણીઓનાં ત્રાસથી ગ્રામીણો હેરાન પરેશાન થઇ રહ્યા છે.

તેમના દ્વારા વન વિભાગની ટીમને વિનંતી કરવામાં આવી રહી છે કે, અહિયાં પશુઓ માટે પીંજરા મુકવામાં આવે તો ગામના લોકો શાંતિ અનુભવી શકે અને પોતાના ખેતરોમાં ભય વગર કામ કરવા જઈ શકે છે.

Share This Article