લુણાવાડા મથકે કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન

admin
1 Min Read

મહીસાગર જિલ્લાના લુણાવાડા મથકે કોગ્રસ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું. આ ઉદ્ઘાટન પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીના હસ્તે કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ પાર્ટીએ ગુલાબસિંહ ચૌહાણની જીત પર વિશ્વાસ વ્યક્ત કરતા ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતુ કે લુણાવાડા નગરનો વિકાસની કામગીરી કરનાર અને લોકોની વચ્ચે રહેનારા ગુલાબસિહ ચૌહાણને પાર્ટીએ વિશ્વાસ રાખીને પસંદ કર્યો છે. ભરતસિંહે સંબોધન કરતા જણાવ્યું હતુ કે, ભાજપ રાજમાં મોંઘવારી, મંદી, બેરોજગારીની કલ્પના કરવી ઘટે.  કાર્યાલયના ઉદ્ઘટના પ્રસંગે કોંગ્રેસના અધિકારી તથા પદા અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.  મહત્વનું છે કે, લુણાવાડા વિધાનસભાની પેટા ચુંટણીમાં ભાજપ તરફથી જીગ્નેશકુમાર અંબાલાલ સેવકે ફોર્મ ભર્યુ છે તો એનસીપી તરફથી પટેલ ભરતકુમાર કાળીદાસે ઉમેદવારી નોંધાવી છે. આમ લુણાવાડા વિધાનસભાની પેટાચુંટણીમાં ત્રિપાંખિયો જંગ જોવા મળશે. ત્યારે જોવું એ રહેશે કે કોણ બાજી મારવામાં સફળ રહેશે.

Share This Article