Connect with us

જામનગર

જામનગર : કલેક્ટર કચેરીમાં મહિલાનો આપઘાતનો પ્રયાસ

Published

on

જામનગર જીલ્લાના લાલપુર તાલુકાની મહિલાએ સોમવારે દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. લાલપુર તાલુકાની એક મહિલા જમીન પ્રકરણના વિવાદના કેસને લઇને જામનગરની કલેકટર કચેરીએ પહોચી હતી પરંતુ કેસનો નિકાલ ન આવતા તેણીએ કલેકટર કચરીએ દવાપીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પ્રાપ્ત સમાચાર મુજબ, જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના નાંદુરી ગામના પુષ્પાબેન મૂછડીયા ઉવર્ષ 56 નામના મહિલા આજે રોજ જમીન પ્રકરણના કેસને લઇને કલેકટર કચેરીએ પહોચ્યા હતા તેનો નિકાલ ન આવતા તેઓએ કચેરીએ જ દવા પી ને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જણાવી દઈએ કે તેમને તાત્કાલિક સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમનો જીવ બચી ગયો હતો.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

ગુજરાત

જી.જી. હોસ્પિટલમાં ફાયર સેફટીના સાધનો લગાવાયા

Published

on

હોસ્પિટલમાં આગ લાગવાના અકસ્માત સર્જાય ત્યારે મોટી મુશ્કેલી સર્જાતી હોય છે. પરંતુ આવી નોબત આવે તે પહેલા જ જામનગરની જી.જી.સરકારી હોસ્પિટલમાં ફાયરની નવી સિસ્ટમો લગાડવામાં આવી છે. અદ્યતન ફાયર સેફ્ટી સિસ્ટમ પાછળ ખર્ચ કરી જી.જી. હોસ્પિટલ તંત્રએ અકસ્માત નિવારણ કરવા પ્રયાસ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રની મોટી હોસ્પિટલ તરીકે ઓળખાતી જામનગરની જી.જી. હોસ્પિટલ (આસપાસના જિલ્લાઓ માટે પણ વરદાન રૂપ સાબિત થતી રહી છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી જામનગરની જી.જી. હોસ્પિટલ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરના દર્દીઓને આરોગ્યલક્ષી સુવિધાઓ વિનામૂલ્યે પુરી પાડે છે. જી.જી. હોસ્પિટલમાં જામનગર ઉપરાંત સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં સારવાર અર્થે આવતાં હોય છે. આગ લાગવા જેવી આકસ્મિક ઘટનાઓ સમયે દર્દીઓની સલામતિ ખૂબ જ જરુરી બની જાય છે. જી.જી. હોસ્પિટલમાં રાખવામાં આવેલી ફાયર સેફટીના સાધનો સહિતની સામગ્રી અનેક વખત ચર્ચાનો વિષય બની છે. ફાયર સેફટીના સાધનો એક્સપાયરી ડેઇટના હોવાનું પણ અનેક વખત સામે આવ્યું છે. ત્યારે હવે તંત્ર દ્વારા જી.જી. હોસ્પિટલમાં અતિઆધુનિક ફાયર સિસ્ટમ લગાડવામાં આવી છે. જેથી આગ લાગવા જેવી ઘટનાઓ સમયે તુરંત આગને કાબુમાં લઇ શકાય.

Continue Reading

ગુજરાત

જામનગરમા રખડતા ઢોરની સમસ્યાને લઇને મ્યુ. કમિશનર મેદાને

Published

on

જામનગર શહેરમાં વર્ષોથી અબોલ પશુઓની સમસ્યાનો શહેરીજનો સામનો કરી રહ્યા છે. જામનગરના માર્ગો પર રખડતાં ઢોરને કારણે અકસ્માતોની ઘટનાઓ પણ બની છે.ત્યારે જામનગરમાં રખડતા ઢોર મુદ્દે તંત્ર એકશનમાં આવ્યું છે. જામનગરની એક પણ શેરી એવી નહી હોય જ્યાં રખડતા ઢોરનો ત્રાસ ન હોય! ત્યારે દિવસેને દિવસે વધતાં જતા રખડતાં ઢોરના ત્રાસને અટકાવવા તંત્રએ મન માંનવી લીધું હોય તેવું લાગી રહ્યું છે.ખુદ જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડી અને SP પ્રેમસુખ ડેલુ દ્વારા જામનગરના જાહેર રસ્તાઓ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

જામનગરમાં રખડતાં ઢોરને કારણે અકસ્માતોની ઘટનાઓ બનતી છતાં આ ગંભીર પરિસ્થિતિનું કાયમી ધોરણે નિકાલ લાવવામાં તંત્ર વામણુ સાબીત થાય છે. ત્યારે આજરોજ રખડતાં ઢોરની સમસ્યાને લઇ જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ તથા મ્યુ.કમિશનર વિજયકુમાર ખરાડી મેદાને ઉતર્યા હતાં. જામનગર શહેરનાં પંચેશ્ર્વર ટાવર વિસ્તારમાં આવેલ વંડાફળી, ભરવાડ પા સહિતના વિસ્તારોમાં પોલીસવડા અને મ્યુ.કમિશનર પહોંચ્યા હતાં અને પશુપાલકોના કડક ચેતવણી આપી હતી. સ્થળ ઉપર જ નોટીસ અપાઇ હતી. પોલીસવડા અને કમિશનર દ્વારા પશુપાલકોને અલટી મેટમ આપવામાં આવ્યું છે. ત્યારે આગામી દિવસોમાં શહેરના રાજમાર્ગો પરથી રખડતાં ઢોરના અંડીગા દુર થાય છે કે નહી તે જોવું રહ્યું…!!

Continue Reading

જામનગર

જામનગરના તમામ તાલુકાઓમાં 1.70 કરોડથી વધુના ખર્ચે નિ:શુલ્ક ડાયાલીસીસની સુવિધા ઉપલ્બધ કરાશે

Published

on

Free dialysis facility will be provided in all talukas of Jamnagar at a cost of over 1.70 crore.

આજથી દોઢ વર્ષ પહેલા જામનગર જિલ્લામાં એક માત્ર ગુરૂ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે કીડની ડાયાલીસીસની સુવિધા ઉપલબ્ધ હતી. તા.8-4-2021ના રોજ જામજોધપુર તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કીડની ડાયાલીસીસ કેન્દ્ર શરુ કરવામાં આવી હતી. જેમાં કીડનીના દર્દીઓને વિનામૂલ્યે ડાયાલીસીસની સેવા પૂરી પાડવામાં આવતી. જ્યાં આજ દિન સુધી અંદાજે 1200થી વધુ દર્દીઓને ડાયાલીસીસની સેવા પૂરી પાડવામાં આવી છે.જિલ્લાના અન્ય તાલુકાઓમાં કીડનીની સારવાર લઇ રહેલા દર્દીઓ માટે ઘર આંગણે જ ડાયાલીસીસની સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુથી જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘીના માર્ગદર્શન હેઠળ ડીસ્ટ્રીકટ મિનરલ ફાઉન્ડેશન જામનગરનાં સહયોગથી જિલ્લાના 4 સામુહિક આરોગ્ય કેન્દ્રો ધ્રોલ, જોડિયા, કાલાવડ તથા લાલપુર ખાતે રૂ.1 કરોડ 70 લાખ 80 હજારના ખર્ચે કીડની ડાયાલીસીસ કેન્દ્રો શરુ કરવામાં આવનાર છે.

Free dialysis facility will be provided in all talukas of Jamnagar at a cost of over 1.70 crore.

જેની તમામ વહીવટી તથા કીડની ઇન્સ્ટીટયુટ સાથેના MOUની પ્રકીયા પૂર્ણ કરી દેવામાં આવી છે.આગામી 2 માસમાં આ કેન્દ્રો ખાતે લોકોને વિનામૂલ્યે કીડની ડાયાલીસીસની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ 4 કેન્દ્રો ખાતે કીડની ડાયાલીસીસની સુવિધા ઉપલબ્ધ થવાથી ગુરૂ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ ખાતેનાં દર્દીઓનો ધસારો ઓછો થશે, તેમજ અંતરીયાળ વિસ્તારમાં વસતા લોકોને તેમના રહેઠાણથી નજીકમાં જ ડાયાલીસીસની સુવિધા મળી રહેવાથી તેઓને આર્થિક બચત પણ થશે. આમ આ કેન્દ્રો ખાતેની ડાયાલીસીસની સુવિધા કીડનીની સારવાર લઈ રહેલ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આ ચાર કેન્દ્રો કાર્યરત થતા જામનગર જિલ્લાને તમામ તાલુકા સ્તરે નિ:શુલ્ક સરકારી ડાયાલીસીસ સેન્ટરની સુવિધા ધરાવતા ગુજરાતના પ્રથમ જિલ્લા તરીકેનું ગૌરવ પ્રાપ્ત થશે.

Continue Reading
Uncategorized1 hour ago

વારાણસી પહોંચ્યા પીએમ મોદી, એરપોર્ટ પર સીએમ યોગી તેમનું સ્વાગત કરવા હાજર

Uncategorized2 hours ago

ઓફિસની દિશા બદલો, બદલાઈ જશે તમારું ભાગ્ય, જાણો શું કહે છે વાસ્તુ

Uncategorized16 hours ago

મહારાષ્ટ્ર, ગુજરાત અને એમપીમાં 7 સ્થળો પર દરોડા, ગઝવા-એ-હિંદ વિરુદ્ધ કાર્યવાહી

Uncategorized16 hours ago

મહિન્દ્રા ઈલેક્ટ્રિક કાર પર મોટો દાવ લગાવશે, $1.3 બિલિયન એકત્ર કરશે, જાણો સંપૂર્ણ વિગતો

Uncategorized16 hours ago

એક જમાનામાં ભારતીયોને મસૂરી જવાની પરવાનગી ન હતી… અને આ સ્થળનું નામ કંઈક આ પ્રકારનું હતું.

Uncategorized16 hours ago

હવે ડેસ્કટોપ યુઝર્સ પણ ગ્રુપ કોલ કરી શકશે, વોટ્સએપે એક નવું અપડેટ બહાર પાડ્યું છે

Uncategorized16 hours ago

ઉત્તરાખંડનું એક અનોખું સ્થળ, જ્યાં લોકો ઉનાળાની મુલાકાત લેવા માટે રાહ જુએ છે, તેનું નામ પણ ક્યારેય સાંભળ્યું નહિ હોય

Uncategorized17 hours ago

Ramadan 2023: રમઝાન મહિનામાં ફિટ રહેવા માટે આ 5 રીતોને અનુસરો

Uncategorized4 weeks ago

પૂલ ટેબલ હત્યાકાંડ: બ્રાઝિલમાં ગેમ હારવા બદલ ખેલાડીની હાંસી ઉડાવતા 12 વર્ષની બાળકી અને સાત પુરુષોની ગોળી મારી હત્યા કરી

Uncategorized3 weeks ago

ડેરિવેટિવ્ઝ માર્કેટમાં ઉપયોગમાં લેવાતા ભાવના સૂચકાંકોના પ્રકારો

ગુજરાત4 weeks ago

ફોરવર્ડ અને ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ વચ્ચે શું તફાવત છે?

Uncategorized4 weeks ago

પીએમ મોદીએ કર્યું શિવમોગ્ગા એરપોર્ટનું ઉદ્ઘાટન અને બોલ્યા આ વાત

Uncategorized3 weeks ago

વિશ્વની સૌથી લાંબી નદી ક્રુઝ MV ગંગા વિલાસ પહોંચી ડિબ્રુગઢ, 50 દિવસની સફર પૂર્ણ કરી

Uncategorized4 weeks ago

ભારતીય વાયુસેનાની ટીમ UAE પહોંચી, બહુપક્ષીય એક્સરસાઇઝ એક્સ ડેઝર્ટ ફ્લેગમાં ભાગ લેશે

Uncategorized4 weeks ago

ઓરેવા કંપની મૃતકોના પરિજનોને 10-10 લાખનું વળતર આપશે, ગુજરાત હાઈકોર્ટનો આદેશ

Uncategorized4 weeks ago

DRDOનો ઓફિસર પાકિસ્તાન માટે કરી રહ્યો હતો જાસૂસી! પોલીસે ધરપકડ કરી

Trending