જૂનાગઢ ખાદી ગ્રામોદ્યોગ કેન્દ્ર ખાતે જિલ્લાનાં વરિષ્ઠ આગેવાનો અને વરીષ્ઠ અધીકારીઓ મહાત્મા ગાંધીનાં ખાદી પરત્વેનાં સાદગીનાં સંદેશાને આવકારવા ખાદી ખરીદી કરવા પહોચ્યા હતા.જ્યાં ખાદી પ્રવૃતિનાં જૂનાગઢનાં અગ્રણી મોહનભાઇ પટેલે સૈા ખાદી પ્રેમી અને મહાત્માનાં વિચારોને આત્મસાત કરવા પધારેલ નગરજનોને આવકાર્યા હતા.મોહનભાઇ પટેલે ખાદી અને મહાત્માનાં વિચારોને સાંકળીને આધુનિક યુગમાં સાદગી અને સ્વચ્છતાનું મુલ્ય સમજાવ્યુ હતુ. આ તકે જૂનાગઢ મ્યુનિ. કમિશ્નરે પોતાનાં પુર્વજ વડીલો અને સ્વયંને ખાદી અને ગાંધી વિચારોથી મળેલ સામાજીક બદલાવનાં યોગદાનને લોકો સમક્ષ રજુ કરી જૂનાગઢની જનતાને સ્વચ્છતા તરફ દોરી સવા સંકલ્પના વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ધારાસભ્ય ભીખાભાઇ જોષી, મોહનભાઇ દલસાણિયા, કલકેટરશ્રી ડો. સૈારભ પરાઘી,નાયબ મેયર હિેમાંશુ પંડ્યા, નટુભાઇ પટોળીયા, સંજયભાઇ કોરડીયા, હરેશભાઇ પરસાણા, રાકેશભાઇ ધુલેશીયા, પુર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂ, આદ્યાશક્તીબેન મજમુદાર, જ્યોતિબેન વાછાણી સહિત વરિષ્ઠ અધિકારી/પદાધિકારી અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
જુનાગઢ : મહાનુભાવોએ ખાદી ખરીદવા માટે પહોચ્યા
You Might Also Like
Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a comment
Leave a comment