જુનાગઢમાં 41 ડીગ્રી તાપમાન નોંધાયું , કોરોના વચ્ચે ગરમીનો પારો વધ્યો

admin
1 Min Read

કોરોના વાયરસની મહામારી વચ્ચે હવે કાળઝાળ તાપ પણ લોકોની કસોટી કરી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. જુનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. જુનાગઢમાં તાપમાનનો પારો ૪૧ ડિગ્રીને આંબી ગયો હતો. જેના કારણે લોકોએ ગરમીનો અનુભવ કર્યો હતો. કોરોના વાયરસના કારણે જ્યાં એકબાજુ લોકડાઉન ચાલી રહ્યું છે, કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યાં બીજીબાજુ હવે ગરમીનો પારો પણ વધતો જોવા મળી રહ્યો છે.

જુનાગઢમાં સવારથી જ જાણે આકાશમાંથી સુર્ય દેવતા પ્રકોપ રેલાવતા હોય તેવી ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો. જુનાગઢમાં ૪૧ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયુ હતું. જ્યારે ન્યૂનતમ તાપમાન ૨૪ ડિગ્રી નોધાયુ હતું. બપોરના સમયે તો અગ્નિવર્ષા થતી હોય તેવું લાગે છે. તો પવનની ગતિ ૧૪ કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી હતી. જેના કારણે રસ્તાઓ પણ સૂમસામ થયા હતા. તો ગરમીના વધુ પડતા પ્રમાણથી લોકો ત્રાસી ગયા હતા.

Share This Article