કન્નડ ફિલ્મના અભિનેતાનું હૃદય રોગના હુમલાથી નિધન

admin
1 Min Read

ભારતીય ફિલ્મ જગત માટે આ વર્ષ જાણે એક બાદ એક ખરાબ સમાચાર સામે લઈને આવી રહ્યું છે. બોલીવુડના દિગ્ગજ અભિનેતાઓ ઋષિ કપૂર, ઈરફાન ખાનના નિધનનેે લઈ બોલીવુડ જગતમાં શોકમાં ઘરકાવ થયુ છે. ત્યારે કન્નડ ફિલ્મ જગતના જાણીતા અભિનેતાનું હૃદયરોગના હુમલાના કારણે નિધન થયું છે.

કન્નડ ફિલ્મ્સના અભિનેતા ચિરંજીવી સરજાનું રવિવારે હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. તે 39 વર્ષનો હતો. ચિરંજીવીને શનિવારે 6 જૂનના રોજ શ્વાસ લેવામાં તકલીફ અને છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા તેને એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

અહીં સારવાર દરમિયાન તેણે આજે અંતિમ શ્વાસ લીધા. રિપોર્ટ્સ પ્રમાણે એક્ટરને હાર્ટ અટેક આવ્યો હતો. આ હાલતમાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જ્યાં તેનું આજે(રવિવારે) સાંજે નિધન થયું હતું.

ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ ચિરંજીવી સરજાના નિધન અંગેના સમાચાર ટ્વીટ કરીને આપ્યા હતા. જેમાં તેમણે લખ્યું કે, કન્નડ એક્ટર ચિરંજીવી સરજાનું હાર્ટ અટેકના કારણે માત્ર 39 વર્ષની વયે નિધન થયું છે.

Share This Article