કસૌટી જિંદગી કી 2માં કરણ સિંહ ગ્રોવરની થશે રિએન્ટ્રી

admin
1 Min Read

પોપ્યુલર ટીવી શો કસૌટી જિંદગી કી 2માં મિસ્ટર બજાજનો રોલ પ્લે કરનાર કરણ સિંહ ગ્રોવર શોમાં પરત ફરશે કે કેમ તે અંગે સસ્પેન્સ યથાવત્ છે. કરણે થોડા સમય પહેલા શો છોડ્યો હતો અને ટીમે પણ તેને ફેરવેલ પાર્ટી આપી હતી. જો કે બાદમાં સામે આવેલા કેટલાક રિપોર્ટ પ્રમાણે શોમાં ટ્રેક ચેન્જ કરવા માટે કોમોલિકાની એન્ટ્રી કરવામાં આવી જ્યારે મિસ્ટર બજાજની એક્ઝિટ. પણ જો આ ટ્રેક કામ નહીં કરે તો કરણ સિંહ શોમાં પરત ફરશે.

એક્ટરના શોમાંથી જતાં રહેવાથી તેના ફેન્સ પણ નિરાશ થયા હતા. પરંતુ કરણ સિંહ ગ્રોવરના ફેન્સ માટે એક ગુડ ન્યૂઝ છે. લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે એક્ટર ટૂંક સમયમાં જ શોમાં પરત ફરશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, કરણ કમબેક કરશે. તે મિસ્ટર બજાજ બની ફરી પ્રેરણાની લાઈફમાં એન્ટ્રી લેશે.

શોમાંથી બ્રેક લીધા બાદ આપેલા ઈન્ટરવ્યૂમાં કરણે જણાવ્યું હતું કે હું શોના રાઈટરનો આભાર માનું છું કે તેમણે મારા રોલને આટલી સારી રીતે લખ્યો. મને એક એક્ટર તરીકે ઘણુ બધું શીખવાની તક મળી. તમને જાણ થાય તે પહેલા જ હું શોમાં પરત ફરીશ.

Share This Article