રાજકોટ જીલ્લા ના ધોરાજી ના વોર્ડ નંબર અને આંબેડકરનગર વિસ્તાર મા રોડ રસ્તાઓ લઈ ને સ્થાનિક લોકોએ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ધોરાજી ના વોર્ડ નંબર ત્રણ અને આંબેડકરનગર ના લોકોએ રોડ રસ્તાઓ બિસ્માર હોય તેવી અનેકવાર રજૂઆત કરેલ પણ કોઈ નક્કર પરિણામ ન આવતા લોકોએ વિરોધ પ્રદર્શન યોજી રોષ વ્યક્ત કર્યો હતો.
અને સ્થાનિક મહિલાઓ તેમજ સ્થાનિક લોકોએ આજરોજ નગરપાલિકા વિરુદ્ધ સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. અને વધુ રજૂઆત માટે ફરી નગરપાલિકા કચેરીએ પોતાના વિસ્તારો મા પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ તાત્કાલિક કરાઈ હતી. તેવી માંગ સાથે આંબેડકરનગર ના સ્થાનિકો નગરપાલિકાએ પહોચ્યા હતા. આગામી દિવસોમાં રોડ રસ્તાઓનું સમાર કામ નહી થાય તો આંદોલન ની ચીમકી પણ ઉચ્ચારી હતી.