પ્રધાનમંત્રી જન કલ્યાણ યોજનાની યોજાઈ બેઠક

admin
1 Min Read

પ્રધાનમંત્રી જનકલ્યાણ યોજનાના  રાષ્ટ્રીય સચિવ લલિત દવેએ પોતાના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા હતા. જ્યાં તેમની અધ્યક્ષતામાં પ્રધાનમંત્રી જનકલ્યાણ યોજનાની બેઠક મળી હતી. આ બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ વિરોધીઓ દ્વારા ફેલાવવામાં આવી રહેલ ભ્રમને પણ મીડિયાના માધ્યમથી દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.. આ બેઠકને રાષ્ટ્રીય અધ્યક્ષ પુષેશ આર્ય અને ગુજરાત પ્રદેશ પ્રમુખ ડો.મહેશ મહેતા દ્વારા વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધવામાં આવી હતી. બેઠકમાં મુખ્ય અતિથિ તરીકે જીલ્લા ન્યાયાધીશ રજનીકાંત પરમારે હાજરી આપી હતી. લલિત દવે સહીત દેવશ્રી વિશ્વેશ્વરીએ પણ આ બેઠકને સંબોધી હતી. આ બેઠકમાં પારૂલબેન દવે, શૈલેશ પટેલ, ઉજ્જવલ દવે, રતનલાલ ઉપાધ્યાય, સચિન મહેતા, જિગ્નેશ બ્રહ્મભટ્ટ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

બાઈટ – લલિત દવે, (રાષ્ટ્રીય સચિવ, પ્રધાનમંત્રી જનકલ્યાણ યોજના)

Share This Article