મહેસાણા- ભગવાન શંકરની હાથમાં ડમરુવાળી પ્રતિમા અજાણ્યા શખ્સોએ ખંડિત કરી

Subham Bhatt
1 Min Read

મહેસાણાના સોમનાથ રોડ પર બિલાડી બાગ પાસે ચોકડી પર મુકવામાં આવેલી ભગવાન શંકરના હાથમાં ડમરુવાળી પ્રતિમાનેકોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ખંડિત કરાતાં હિન્દુ સંગઠનોમાં રોષ વ્યાપ્યો છે. બિલાડી બાગ પાસે સોમનાથ ચોકડી પરઆવેલા સર્કલમાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ભગવાન શંકરના હાથમાં ડમરુ વાળી પ્રતિમા મુકાઈ છે. આ મૂર્તિ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ખંડિત કરાઈ છે. જેને લઈ હિન્દુ સંગઠનોમાં રોષ ઉભો થયો છે

Mehsana - Damru statue in the hands of Lord Shankar was smashed by strangers

આ બનાવની જાણ વિશ્વ હિન્દુ પરિષદનામહેસાણા જિલ્લાના ઉપાધ્યક્ષ ઘનશ્યામભાઈ કડીયાને થતાં તેમણે બનાવ સ્થળની મુલાકાત લીધી હતી અને તેમણે તાબડતોબસોમનાથ રોડ પર હિન્દુ સંગઠનોની બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં ભગવાન શિવના હાથમાં ડમરુ સાથેની પ્રતિમાની આંગળીતોડી પ્રતિમા ખંડિત કરનારા તત્વોને ઝડપી પાડવા માંગ ઉઠી છે. આ મામલે આગામી દિવસોમાં આવેદનપત્ર અને ધરણાં સહિતના કાર્યક્રમો કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

Share This Article