પંચમહાલ : ઘોઘંબા તાલુકાના એદલપુરા ગામનો બનાવ

admin
1 Min Read

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના એદલપુરા ગામે વીજ કેબલ થાંભલામાં અચાનક શોટ સર્કિટ થયુ હતું. શોટ સર્કિટના કારણે સમગ્ર પંથકમાં અંધારપટ છવાઈ ગયો હતો. છેલ્લા 24 કલાકથી અંધારપટ રહેતા ગ્રામજનોમાં પણ ચિંતાનો માહોલ સર્જાયો હતો. કાળઝાળ ગરમીમાં વીજળી ડૂલ થઈ જતા લોકો ગરમાં પણ રીતસરના બફાયા હતા. મળતી માહિતી મુજબ, ઘોઘંબા તાલુકાના એદલપુરા ગામે વિજ કેબલ થાંભલામાં સોટસર્કીટના કારણે છેલ્લા 24 કલાકથી પંથકમાં અંધારુ છવાયુ હતું

 

 

આ અંગે ઘોંઘબા વિદ્યુત બોર્ડને ગ્રામજનો દ્વારા જાણ કરવામાં આવી હતી. જોકે 24 કલાક વીતી ગયા હોવા છતાં વીજ વિભાગના કર્મચારીઓ દ્વારા તેની નોંધ લેવામાં આવી નથી. વીજ વિભાગની બેદરકારીના કારણે ગ્રામજનોએ કાળઝાળ ગરમીમાં સેકાવાનો વારો આવ્યો હતો. જેના કારણે ગ્રામજનોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Share This Article