પંચમહાલ : ગોધરા શહેરમાં આવેલા સ્મશાનોમાં સ્મશાન ગૃહમા ફરનેશ બગડી જતા અંતિમ સંસ્કાર માટે વેઇટિંગ

admin
1 Min Read

પંચમહાલના ગોધરા સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર માટે વેઇટિંગ ચાલી રહ્યું છે. ગોધરા સ્મશાનગૃહમાં આવેલા ગેસ સંચાલિત ફરનેશ બીજી વખત ક્ષતિગ્રસ્ત થયો છે.પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરમાં આવેલા સ્મશાનોમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે વેઇટિંગ જોવા મળી રહ્યું છે જીલ્લામાં કોરોનાની પરિસ્થિતિ વકરી છે ત્યારે અંતિમ સંસ્કાર માટે લાઈનો લાગી છે. ત્યારે ગોધરા સ્મશાન ગૃહમા ફરનેશ બગડી જતા સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર માટે વેઇટિંગની પરિસ્થીતી ઉભી થઈ છે.

મહત્વનું છે કે ગોધરા સ્મશાનગૃહમાં આવેલ ગેસ સંચાલિત ફરનેશ બીજી વખત ક્ષતિગ્રસ્ત થતા. આ હાલત થવા પામી છે. જેના કારણે મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે હાલ વેઇટિંગ હોવાનુ જાણવા મળ્યું છે. ગોધરા સ્મશાન ગૃહમાં 1 મૃતદેહના અગ્નિસંસ્કાર 3 કલાક લાગી રહ્યા છે. હાલમા જે ચીમનીઓમા મૃતદેહોનુ અંતિમ સંસ્કાર કરવામા આવે છે. તે પણ ફુલ હોવાનું જાણવા મળી રહ્યુ છે. તો બીજી બાજુ  હાલમા આ પરિસ્થિતિ જોતા તંત્ર કેમ સાચા આકડા છુપાવી રહ્યુ છે. તે સમજાતુ નથી.

Share This Article