પાટણ : જિલ્લા અદાલતમાં તમામ વકીલો એક દિવસની હડતાલ ઉપર ઉતર્યા

admin
1 Min Read

પાટણ ખાતે આવેલ જિલ્લા અદાલતમાં આજે તમામ વકીલો એક દિવસની હડતાલ ઉપર ઉતર્યા હતા. 8મી એપ્રિલના રોજ પાટણના જાણીતા સિનિયર એડવોકેટ આર ઠક્કર જે કોર્ટ સંકુલમાં સોગંદનામું કરવા બાબતે જજ બુખારીને મનદુઃખ થયું હતું. જે ઘટનાને લઈને એડવોકેટ આર.કે ઠક્કરે માફી માંગી દિલગીરી વ્યક્ત કરી હતી. તેમ છતાં જજશ્રી બુખારી દ્વારા રજીસ્ટારને આદેશ કરી વકીલ સામે ફરિયાદ દાખલ કરતા પાટણના તમામ વકીલોએ વિરોધ દર્શાવ્યો હતો.

 

 

આ ઘટનાને લઈ આજે પાટણ જિલ્લા અદાલતના તમામ વકીલોએ કોર્ટ સંકુલ ખાતે એકત્ર થયા હતા.  તેઓ  પોતાના કામથી અળગા રહ્યા હતા. અને વિરોધ દર્શાવ્યો હતો. પાટણના જજશ્રી દ્વારા વકીલ ઠકકર સામે કરેલ કાર્યવાહીને લઇને તમામ વકીલોએ હાઈકોર્ટમાં પણ રજૂઆત કરવાની તૈયારી બતાવી છે. આજના આ કાર્યક્રમમાં પાટણના સિનિયર વકીલો જુનિયર વકીલો હાજર રહ્યા હતા. આપને જણાવી દઈએ કે, કોરોનાનાં કારણે એમ પણ કોર્ટ બંધ રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે હવે ફરી વકીલો દ્વારા આમ કામ બંધ રાખતા ચિંતામાં વધારો થતો જોવા મળી રહ્યો છે

Share This Article