વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્યોગ સંગઠન ભારતીય ઉદ્યોગ પરિસંઘ (સીઆઈઆઈ)ના વાર્ષિક સત્રને સંબોધન કર્યુ હતું. આ સંબોધનમાં ભારતીય ઉદ્યોગ જગતની સાથે દેશને વાર્ષિક વૃદ્ધિના રાહ પર લાવવાનો મંત્ર આપ્યો હતો.
CIIના 125 વર્ષ પુરાઅ થતાં શુભેચ્છા પાઠવતાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે માણસ દરેક મુશ્કેલીનું સમાધાન શોધી લે છે. દેશવાસીઓનું જીવન બચાવવાનું છે, અર્થવ્યવસ્થાને વધારવાની છે. કોરોનાકાળમાં ઓનલાઇન ઇવેન્ટ સામાન્ય થતી જાય છે.
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું ”દુનિયાના મુકાબલે ભારતની સ્થિતિ સારી છે. આત્મનિર્ભર ભારત આપણી સૌથી મોટી પ્રાથમિકતા છે. આપણે વિકાસ દરને ફરીથી પ્રાપ્ત કરીશું. અનલોક 1માં અર્થવ્યવસ્થાને ફરી ખોલી દેશે. મને ભારતના ખેડૂતો અને ઉદ્યોગપતિઓ પર વિશ્વાસ છે.”
સાથે જ તેમણે જણાવ્યું કે, ‘લોકડાઉનને પાછળ છોડીને ભારત અનલોક 1.0માં પ્રવેશ કરી ચૂક્યું છે, ભારતની ક્ષમતાઓ અને તેની સંકટ મેનેજમેન્ટ વ્યવસ્થામાં વિશ્વાસ રાખો. અમે નિશ્વિતપણે આપણા વિકાસ દરને પ્રાપ્ત કરીશું. આપણે કોરોના વાયરસથી લડવા માટે કડક પગલાં ભરવા પડશે અને સાથે જ અર્થવ્યવસ્થાની પણ દેખરેખ માટે પગલાં ભરવા પડશે.