પ્રાંતિજ ના નવાપુરા ખાતે શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

Subham Bhatt
1 Min Read

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના નવાપુરા ખાતે શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિર નો ત્રિદિવસીય પ્રાણ પતિષ્ઠા મહોત્સવ યોજાયો જેમા પ્રાંતિજ સહિત તાલુકામાંથી ધર્મ પ્રેમી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શનદર્શન કરી ધન્યતા અનુભવી હતી.પ્રાંતિજ ના નવાપુરા ખાતે આવેલ શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિર નો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો જેમા નવ ચંડીયજ્ઞ , મહાયજ્ઞ , આરતી સહિત ના દિવસ દરમ્યાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા

Pran Pratishtha Mahotsav of Shri Narmadeshwar Mahadev Temple held at Navapura, Prantij

તો પ્રાંતિજ સહિત આજુબાજુના ધર્મ પ્રેમી લોકોએ ધર્મ લાભ લીધો હતો તો યજ્ઞ ની વિધિવત રીતે પૂજા યોગેશ કુમાર રમણભાઇ ભટ્ટ દ્રારા કરવવામા આવી હતી તો ત્રિદિવસીય પાટોત્સવ દરમ્યાન ધજારોહ , હવન , આરતી સહિત ના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા તો શિવ-શક્તિ યુવક મંડળ ના સભ્યો અરૂણસિંહ , ગાંડુસિંહ , અજીતસિંહ , કાંતિસિંહ , જીતેન્દ્ર સિંહ સહિત સભ્યો કાર્યકરો તથા સમસ્ત નવાપુરા ગ્રામજનો દ્રારા ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નુ સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ

Share This Article