પ્રાંતિજ ના સોનાસણ ખાતે દિવાલ ધરાશાયી થતા બે ના મોત એક ને ઈજાઓ પોહચી

Subham Bhatt
2 Min Read

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સોનાસણ ખાતે એક મકાન ની દિવાલ ધરાશયી થતા મકાન માલિક સહિત બે કારીગરો કાટમાળ નીચે દટાયા હતા જેમા મકાન માલિક સહિત એક કારીગર નુ મોત નિપજયુ હતુ જયારે એક કારીગર ને ઇજાઓ પહોચતા હિંમતનગર ખાતે સારવાર અર્થે ખસેડવામા આવ્યો હતો
પ્રાંતિજ ના સોનાસણ ખાતે આવેલ ખાડીયા નવાધરા વિસ્તાર મા રહેતા પટેલ બાબુભાઈ પુજાભાઇ ના મકાનનુ કામ ચાલી રહ્યુ હતુ જે દરમ્યાન મંગળવાર ની સવારે-૯ કલાકે બાજુમા રહેલ મકાન ની ૨૦ થી ૨૫ ઉચી દિવાલ અચાનક ધરાશાયી થતા દિવાલ ના કાટમાળ નીચે મકાન માલિક બાબુભાઈ પુજાભાઇ પટેલ ઉ.વર્ષ-૬૫ તથા મકાન મા કામે આવેલ બે કારીગરો જેમા હજીલાલ મીણા ઉ.વર્ષ-૨૭ તથા રણછોડભાઈ ઉ.વર્ષ-૧૯ બન્ને રહે સંતરામપુર ત્રણેય જણા દિવાલ ના કાટમાળ નીચે દટાયા હતા

Two were killed and one was injured when a wall collapsed at Sonasan in the province

ત્યારે એક મજુર બહાર ચોપાળ સાઇડમા બહાર હોય એક દમ દિવાલ ધરાશાયી થતા બુમાબુમ કરતા આજુબાજુના લોકો સહિત કોન્ટ્રાક્ટર પણ દોડી આવ્યા હતા તો કાટમાળ નીચે દટાયેલ ત્રણેય જણાને બહાર કાઢવામા બહાર કાઢવામા આવ્યા હતા જેમા મકાન માલિક પટેલ બાબુભાઈ પુજાભાઇ નુ કાટમાળ નીચે દટાતા ધટના સ્થળેજ મોત નિપજયુ હતુ તો કારીગર હજીલાલ મીણા કાટમાળ માંથી બહાર કાઢી સારવાર મળે તે પહેલા મોત નિપજયુ હતુ તો અન્ય એક કારીગર રણછોડભાઈ ને ઇજાઓ પોહચતા તેવોને હિંમતનગર સિવિલ ખાતે સારવાર અર્થે લઇ જવામા આવ્યા હતા તો મકાન માલિક પટેલ બાબુભાઈ પુજાભાઇ નો જન્મ દિવસ હતો અને જન્મ દિવસેજ મોત નિપજયુ હતુ તો તેમના પરિવાર દ્રારા તેવોની આંખો નુ ચક્ષુદાન કરવામા કરવામા આવ્યુ હતુ તો આ ધટના ને લઈ ને ગામમા શોક નુ મોજુ ફરીવળ્યુ હતુ

Share This Article