પ્રાંતિજ ના પુનાદરા ના પતિ-પત્ની કારમા દવાપીધેલી હાલતમા મળી આવ્યા

Subham Bhatt
1 Min Read

પ્રાંતિજ તાલુકાના પુનાદરા ગામે રહેતા મહેન્દ્રસિંહ અમરસિંહ પરમાર ઉ.વર્ષ-૪૫ કે જેવો તા.૫|૬|૨૦૨૨ ને રવિવાર ની રાત્રીના સમયે પોતાની પત્ની અજરતબા મહેન્દ્રસિંહ પરમાર ઉ.વર્ષ-૪૩ કે બન્ને જણા પોતાની વેગેનાર કાર નંબર -GJ16AA 7735 લઈ ને રાત્રીના ધરેથી નિકળી ગયા હતા અને વહેલી સવારે તારીખ ૬|૬|૨૦૨૨ ને સોમવાર ના રોજ છ વાગ્યા ના સમયે પુનાદરા બસસ્ટેશન પાસે થી કારમા બન્ને દવાપીધેલી હાલતમા મળી આવ્યા હતા જેમા પત્ની અજરતબા મૃત હાલતમા તો પતિ મહેન્દ્રસિંહ જીવનમરણ વચ્ચે જોલા ખાતો મળી આવ્યા હતા તો પતિ પત્નીએ કોઈ પણ અગમ્ય કારણોસર ઝેરીદવા પીધી હોય તેવુ જણાઇ તો મહેન્દ્રસિંહ ને પ્રાંતિજ સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામા આવ્યા હતા

The husband and wife of Punadra of Prantij were found in a car in a state of intoxication

અને ત્યાંથી મહેન્દ્રસિંહ વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ ખાતે ખસેડવામા આવ્યા હતા પણ સારવાર મળે તે પહેલા તેવોનુ પણ મોત નિપજયુ હતુ તો મૃતક પતિ-પત્નીને બે પુત્રો છે જેમા દિકરી કવિતા બા ૧૯ વર્ષ તથા પુત્ર કુશાલ સિંહ ૧૮ વર્ષ ના છે જયારે મૃતક મહેન્દ્રસિંહ અમરસિંહ પરમાર છેલ્લા પંદર વર્ષ થી તેવોની સાસરી ખાતે રહેતા હતા તો પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા આ અંગેની જાણ તેવોના ભાઇ વિજયસિંહ અમરસિંહ પરમાર રહે સમો તા.માણસા , જિ.ગાંધીનગર દ્રારા કરવામા આવતા પ્રાંતિજ પોલીસ ના એ.એસ.આઈ માનસિક માનવંત સિંહ દ્રારા હાલતો ગુનોનોંધી આગળની તપાસ હાથધરી હતી

Share This Article