ધોરાજી કેન્દ્ર સરકાર અને પશ્ચિમ રેલ્વે ભાવનગર ડિવિઝન તથા રાજય સરકારના સહયોગથી ધોરાજીથી અન્ય રાજ્યમાં ડુંગળીની નિકાસ કરવામાં આવેલ છે. જેમાં 500 થી 550 મેટ્રીક ટન ડુંગળી ભરીને કિશાન રેન્ક ટ્રેન દ્વારા સિલિગુડી જવાં રવાના કરવામાં આવી છે.
આમ ગૌહાટી અને સિલિગુડી અત્યાર સુધી બન્ને થઈને આજે દસમી વાર ડુંગળીની નિકાસ કરવામાં આવી છે. પણ હાલનાં સંજોગોમાં ડુંગળીનાં ભાવો તળીયે બેસી ગયાં હોવાથી ખેડૂતોને પારાવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જેના કારણે ખેડૂતો અન્ય રાજ્યોમાં ડુંગળીની નિકાસ વધુ કરી રહ્યા છે.