રાજકોટ- જામનગર રોડ પર ફાયરિંગ કરી જીએસટી અધિકારીના ડ્રાઇવરની હત્યા

Subham Bhatt
1 Min Read

રાજકોટ શહેરમાં જામનગર રોડ નજીક રેલનગર અન્ડરબ્રિજ જતા રોડ પાસે ફાયરિંગ કરી જીએસટી અધિકારીના ડ્રાઇવરની હત્યા કરાઈ છે. બનાવમાં ફાયરિંગથી અન્ય 3 લોકોને ઇજા થઈ છે. આ અંગે જાણકારી મળતા જ પોલીસ અધિકારીઓ દોડી ગયાહતા. એક આરોપીને સકંજામાં લીધો હોવાનું જાણવા મળે છે. મળતી વિગત મુજબ આજે રાત્રે શહેરના જામનગર રોડ પર,એરપોર્ટ બગીચા સામે જતા રોડ પર રેલનગર અન્ડરબ્રિજ પાસે ફાયરિંગ થયા અંગેની વિગત પોલીસને મળતા જ ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ સ્ટેશનની ટિમો સહિત અધિકારીઓની ટીમ દોડી ગઈ હતી.

Rajkot: GST officer's driver killed in firing on Jamnagar road

બનાવમાં ગોળીઓ ધરબી સુભાષ દેવકરણદાતી (ગઢવી)ની હત્યા કરાઈ છે અન્ય ત્રણ લોકો ફાયરિંગમાં ઇજાગ્રસ્ત થયા છે તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. મૃતક સુભાષ ગઢવી જીએસટી કમિશનરના ડ્રાઇવર હોવાનું જાણવા મળે છે અને તેઓ રેલનગરના શિવ દ્રષ્ટિ પાર્કમાં રહે છે. બનાવ પાછળનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે. ક્રાઈમ બ્રાન્ચ પીઆઇ વાય. બી. જાડેજાની ટીમે આરોપીઓને અટકાયતમાં લઈ પૂછપરછ હાથ ધરી હોવાની માહિતી મળી રહી છે

Share This Article