રાજકોટ: જેતપુરમાં વ્યાજખોરોના ત્રાસ

admin
1 Min Read

: જેતપુરના દેસાઈ વાડી વિસ્તારમાં મોલ ધરાવતા વેપારીએ વ્યાજ ખોરોના ત્રાસથી ઝેરી દવા પી આપઘાત કરી લીધાનાં બનવામાં મૃતકના પિતાએ ચાર શખ્સો સામે નોંધાવેલ ફરિયાદ બાદ પોલીસે બે શખ્સોની ધરપકડ કરી હતી. જેતપુરના દેસાઈ વાડી વિસ્તારમાં આવેલ તુલસી સુપર માર્કેટના માલિક સંજય ચીમન ભાઈ જાગાણીએ ધંધા રોજગાર માટે લીધેલા વ્યાજે રૂપિયાનું ચક્રવૃદ્ધિ વ્યાજ ચડી જતા વ્યાજખોરોની ધમકી કાયમી વધતી જતી હતી.  જેના કારણે પીઠડીયા ટોલ ટેક્ષ નજીક કારમાં ઝેરી દવા પી મોતને વ્હાલું કરી લીધું હતું, મૃતકના પિતાએ વીરપુર પોલીસ સ્ટેશનમાં ચાર વ્યાજખોરો સામે ત્રાસ અપાતો હોય તેવી ફરિયાદ નોંધાવતા પોલીસે રાજુ સોલંકી તથા ગિરુંભા હાડાને ઝડપી પાડ્યા હતા અને હજુ બે વ્યાજ ખોરોની તપાસ હાથ ધરવામાં આવી છે.

 

 

Share This Article