રાજકોટ-  કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ હાર્દિક પટેલને મજૂર ગણાવ્યો

Subham Bhatt
1 Min Read

હાર્દિક પટેલે બુધવારે કોંગ્રેસને રામ રામ કહ્યું છે. તેમના રાજીનામા પછી અનેક રાજકારણીઓનીપ્રતિક્રિયા સામે આવી ચૂકી છે. ત્યારે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ પણ હાર્દિક પટેલના રાજીનામાઅંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે હાર્દિક પટેલને મજૂર ગણાવ્યો છે. કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએહાર્દિક પટેલને મજૂર ગણાવ્યો છે. અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે હાર્દિક કોંગ્રેસમાં મજૂરી ના કરીશક્યો તો ભાજપમાં શું કરી શકશે તેવા સવાલો ઉઠાવ્યા હતા. આ ઉપરાંત તેઓએ ઉમેર્યું હતું કે ભાજપમાં 100 લોકો જ આગેવાન છે બાકી બધા મજૂર છે.

Rajkot: This veteran Congress leader called Hardik Patel a laborer

બુધવારે કોંગ્રેસને રામ રામ કહેનારા હાર્દિકપટેલ આજે અમદાવાદમાં પત્રકાર પરિષદ કરશે. જેના પર સૌની નજર રહેવાની છે. પત્રકાર પરિષદદરમિયાન હાર્દિક પટેલ અનેક ખુલાસાઓ કરી શકે છે ઉપરાંત મોટી જાહેરાત પણ કરી શકે છે. ગઈકાલેહાર્દિક પટેલે કોંગ્રેસના તમામ પદ અને સભ્યપદેથી રાજીનામુ આપ્યુ હતુ અને તેણે સોનિયા ગાંધીને  સંબોધીને લખેલા રાજીનામા પત્રમાં પાર્ટી પ્રત્યે પોતાની હૈયાવરાળ ઠાલવી હતી.

Share This Article