સાબરકાંઠા- પ્રાંતિજ તીર્થગન વૃધ્ધાશ્રમમાં અનોખી રીતે શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજાયો

Subham Bhatt
1 Min Read

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ તીર્થગન વિસામો વૃધ્ધાશ્રમ મા ૧૪ મી મે ની રઢીયાળી રાત્રીએ કોરોનામા કાળધર્મપામેલા વયસ્થો તેમજ સીનીયર સીટીઝન વડીલો ને શ્રધ્ધાજંલી આપવાનો અનોખો કાર્યક્રમ સંસ્થા દ્રારા યોજવામા આવ્યો હતો. પ્રાંતિજ શ્રીમાર્કડેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલ તીર્થગન વિસામો વૃધ્ધાશ્રમ ખાતે વર્ષ દરમ્યાન અનેક સારા માઠા પ્રસંગો અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામા આવે છે કોરોનાની મહામારીમાં અને કપરા કાળમા જોકે આ વૃધ્ધાશ્રમમા આશરો લેનાર એક પણ વ્યક્તિનું અવસાન થયુ નહતુ પરતુ પ્રાંતિજ નગરમા રહેતા અનેક વડીલો અને સીનીયર સીટીઝન કોરોના નો કોળીયો બનીને મોતને ભેટયા હતા

Sabarkantha- Prantij Tirthgan Vrudhashram hosts unique tribute program

તેમને શ્રધ્ધાંજલિ આપવા સંસ્થાના સંચાલક વિભાષભાઇ પટેલે અનોખા કાર્યક્રમ નુ સુદરઆયોજન કર્યુ હતુ જે અંતર્ગત અમદાવાદ મણીનગર થી આવેલા બે કિશોર વયના કલાકારોએ શ્રોતાઓને શ્રીકૃષ્ણ ભક્તિના ગીતોસંભળાવીને મંત્ર મુગ્ધ કરી દીધા હતા ગાયક કલાકાર શ્લોક હિમાંશુ ભાઇ પંચોલી તેમજ સંગીતકાર નિસર્ગ સાળુંકે આ પ્રસંગે તેમના ગીત-સંગીતથી સમસ્ત વાતાવરણ ને પ્રફુલિત બનાવી દીધુ હતુ આ શ્રધ્ધાંજલી કાર્યક્રમ મા નગર ના આગેવોનો નગરના અગ્રણીઓ તથા વિવિધ સંસ્થાઓના સંચાલકો આગેવોનો ઉપસ્થિત રહ્યા હતા

Share This Article