સાબરકાંઠા – અરવલ્લી જિલ્લાના 3 લાખથી વધુ પશુ પાલકોને તાજેતરમાં દોઢેક માસના ટૂંકાગાળામાં કિલોફેટે કુલ રૂ.30 નો ભાવ વધારો કરી આપ્યા બાદ દર વર્ષે ચૂકવાતા ભાવફેરમાં પણપશુપાલકો ઉપર સાબરડેરી મહેરબાન થનાર હોવાનુ અને 12 ટકાથી વધુ ભાવફેર ચૂકવવા કવાયતહાથ ધરાઇ હોવાનુ જાણવા મળી રહ્યુ છે ત્યારે છેલ્લા ત્રણ માસમાં ડેરી દ્વારા પશુપાલકોને એક પછીએક સારા સમાચાર મળતા આનંદની લાગણી પ્રવર્તી રહી છે ભાવફેરને પગલે દૂધ ઉત્પાદકોનેપ્રતિકિલો ફેટે સરેરાશ રૂ.45 થી વધુ મળી રહેનાર છે. પશુપાલક દૂધ ઉત્પાદકો પ્રતિવર્ષ સાબરડેરીદ્વારા ચૂકવવામાં આવતા ભાવફેર નફાની વહેંચણીની આતુરતાથી રાહ જોતા હોય છે. ચાલુ વર્ષે પણપશુપાલક ખેડૂતોને ખરીફ વાવણી સમયે ખાતર, બિયારણ દવાઓની ખરીદી માટે સાનુકૂળતા બનીરહે તે હેતુસર ડેરી સંચાલકો દ્વારા તા.09-06-22 ના રોજ ભાવફેર અંગે નિર્ણય લેવા અંગે નિયામક મંડળની બેઠક બોલાવાઇ છે અને જાણવા મળી રહ્યા મુજબ ચેરમેન અને બોર્ડ દ્વારા પશુપાલકોને આ વખતે મહત્તમ ભાવફેર આપવા મન બનાવી લેવાયુ છે.
દૂધ મંડળીમાં પશુપાલકે દૂધ ભરાવ્યા બાદમંડળીઓ અને સાબરડેરી દ્વારા વેચાણ થકી થતા વ્યવસાયના નફામાંથી પશુપાલકોને અમુક રકમ –
નફો ફાળવવામાં આવતો હોય છે જેને રીટેન્ડ મની-ભાવ ફેર કહેવામાં આવે છે. વર્ષ 2019-20માં10 ટકા ભાવફેર ચૂકવાતા સરેરાશ કિલોફેટના રૂ.770 અને ત્યારબાદ 2020-21માં 11.6 ટકા લેખેભાવફેર ચૂકવતા પશુપાલકોને સરેરાશ કિલોફેટના રૂ.42 મળ્યા હતા હવે કિલો ફેટના ભાવ માં કુલ30 રૂપિયા નો વધારો થઈ ચૂક્યો છે અને 12 ટકાથી વધુ ભાવફેર મળવાનો છે ત્યારે કિલોફેટનાભાવ રૂ. 875- 900 સુધી પહોંચી જાય તો પણ નવાઈ પામવા જેવું નહીં રહે. કોરોનાને કારણે ડેરીઉદ્યોગને પણ માઠી અસર થતા છેલ્લા ત્રણ વર્ષમાં ભાવફેરના ચૂકવણામાં સ્પષ્ટ અસર જોવા મળીહતી અને પશુપાલકોને ત્રણ વર્ષમાં સરેરાશ સવા નવ ટકા જેટલો ભાવફેર મળ્યો હતો. જેને પગલેવત્તા ઓછા અંશે નારાજગી પણ જોવા મળી હતી પરંતુ ચાલુ વર્ષે કિલોફેટના ભાવમાં ત્રણ વખતવધારો અપાયા બાદ હવે ભાવફેર પણ 12 ટકાથી વધુ ચૂકવાનાર હોવાનુ અને 15 જૂન સુધીમાંપશુપાલકના ખાતામાં જમા કરી દેવાનુ આયોજન કરાયુ છે ત્યારે બંને જિલ્લાના પશુપાલકો માટે આનંદના સમાચાર મળી રહ્યા છે..