સાબરકાંઠા-45 દીથી ગુમ ભિલોડાના 19 વર્ષીય યુવકની હત્યા કરાયેલી લાશ મળી

Subham Bhatt
3 Min Read

સાબરકાંઠાના ભિલોડામાંથી 45 દિવસ અગાઉ ગુમ થયેલ 19 વર્ષીય યુવકની હત્યા કરીને હિંમતનગરના બાંખોર ગામનીસીમમાં ડુંગર અને વાંઘાની ઘાટીમાં દાટી લાશને વગે કરવાના કૃત્યમાં મદદગારી કરનાર અન્ય એક યુવકથી મૃતકના પરિવારનુંદુ:ખ સહન ન થતાં ગુમશુદા યુવકની હત્યાનો પર્દાફાશ થયો હતો. જોકે, માહિતી આપનાર યુવક નિશાન દેહી પર તપાસ કરવાભિલોડા પોલીસ બાંખોર આવીને જ્યુરિડિક્શનનું કારણ બતાવી વિદાય થઇ જતા સાંજ સુધી પરિવારજનો બેસી રહ્યા હતા. ઘરેપરત ન ફરતા પરીવારે પોલીસને જાણ કરી સમગ્ર પ્રકરણની ટૂંકમાં વિગત એવી છે કે ભિલોડાના ગોવિંદનગરમાં રહેતા કાળુભાઇબાબુભાઇ છગનભાઇ ચામઠા તા.14-04-22 ના રોજ બાઇક લઇને સાંજે ચારેક વાગ્યે નીકળ્યો હતો અને બાઇક લઇને ફરતોરહ્યો હતો. રાત્રે પણ ઘેર પરત ન આવતા પરિવારજનોએ શોધખોળ કર્યા બાદ મળી ન આવતાં પોલીસને બીજા દિવસે જાણ કર્યાબાદ તા.25-04-22 ના રોજ સ્ટેશન ડાયરીમાં વિધિવત નોંધ કરાઇ હતી લાશ સગેવગે કરવામાં મદદ કરનાર યુવકથી સહન નથતાં ભાંડો ફૂટ્યો પરિવાર દોઢ માસથી યુવકને શોધી રહ્યો હતો અને ચિંતાતુર હતો. ગુમ થનાર યુવકના પિતા બાબુભાઇ ચામઠાના મોટાભાઇ બચુભાઇ છગનભાઇ ચામઠાએ વિગત આપતાં જણાવ્યુ કે ચિંતાતુર પરિવારની સ્થિતિને સહન ન કરીશકનાર એક યુવકે માહિતી આપી હતી કે વિજયભાઇ અને હાર્દિકભાઇ નામના બે યુવકોએ મૃતક યુવાનને માર મારી એક દિવસ અને એક રાત ઝૂંપડામાં મૂકી રાખ્યો હતો અને તેની લાશ વગે કરવા મદદમાં બોલાવ્યો હતો.

The murdered body of 19-year-old Bhiloda was found missing from Sabarkantha-45

મૃતકનો પરિવાર સવારથી સાંજ સુધીપોલીસની રાહ જોઇને બેસી રહ્યોપરિવારે માહિતી મળતા ભિલોડા પોલીસને જાણ કરી હતી અને આ યુવકને સાથે લઇપોલીસની જીપમાં હિંમતનગરના બાંખોરની સીમમાં પહોંચ્યા હતા અને યુવકની નિશાન દેહી મુજબ ડુંગરની ઘાટીમાં વાંઘાવિસ્તારમાં દોઢેક હાથ જેટલું ખોદતાં લાશ જોવા મળી હતી. ભિલોડા પોલીસ જ્યુરિડિક્શનની સમસ્યા બતાવી રવાના થઇ ગઇહતી અને હત્યાનો ગુનો ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યોહોવાથી ગાંભોઇ પોલીસ પણ કાર્યવાહી ન કરવા મજબૂરબની હતી. સવારે અગિયારેક વાગ્યે આવેેલ મૃતકનો પરિવાર સાંજે સાડા ચારેક વાગ્યા સુધી પોલીસની રાહ જોઇને બેસી રહ્યોહતો. નિરાકરણ આવી ગયું છેસમગ્ર મામલે ગાંભોઇ પીએસઆઇ સી.એફ. ઠાકોરે જણાવ્યું કે નિરાકરણ આવી ગયુ છે અનેઅરવલ્લી પોલીસ સ્થળ પર પહોંચી રહી છે. બે યુવકોએ યુવકને માર મારી ઝૂંપડામાં મૂકી રાખ્યો હતોચિંતાતુર પરિવારનીસ્થિતિને સહન ન કરી શકનાર એક યુવકે માહિતી આપી હતી કે વિજયભાઇ અને હાર્દિકભાઇ નામના બે યુવકોએ મૃતક યુવાનને માર મારી એક દિવસ અને એક રાત ઝૂંપડામાં મૂકી રાખ્યો હતો અને તેની લાશ વગે કરવા મદદમાં બોલાવ્યો હતો.

Share This Article