સુરત હજીરા ઈચ્છાપોર-ONGC બ્રિજ પર 143 ટન વજનનું કન્ટેનર પલ્ટી ખાતા 3 દિવસથી બ્રિજ બંધ કરાયો છે. મળતી માહિતી મુજબ ઈચ્છાપોર-ONGC બ્રિજ પર 3 દિવસ પહેલા 143 ટન વજન ભરેલું કન્ટેનર પલ્ટી મારી જતાં વાહન વ્યવહાર માટે બ્રિજ બંધ કરી દેવાયો હતો. મહાકાય કેન્ટેનરના વજનથી બ્રિજના પાયા ડગમગી ગયા હતા. અંદાજે બ્રિજમાં 50 લાખનું નુકસાન છે.
કેન્ટેનર હટાવવા હજીરાની કંપનીને પણ નોટિસ અપાઈ છે. પણ તેમાં પાર્ટસ ભરેલા હોવાથી હેવી વજનની ક્રેન બ્રિજ પર ઉભી રાખવી મુશ્કેલ છે. શુક્રવારે તેને કેવી રીતે હટાવવું તે અંગે મીટિંગ છે. બીજી તરફ SVNITના નિષ્ણાતોનું કહેવુું છે કે, કન્ટેનર હટ્યા પછી બ્રિજ રિપેર કરવો પડશે જેથી શરૂ થતા લાંબો સમય લાગશે.
સુરત : હજીરા-ઈચ્છાપોર-ONGC બ્રિજ પર કન્ટેનર પલટી માર્યું
Leave a comment
Leave a comment