સુરત : અયોધ્યા-બાબરી મસ્જિદનો મામલો

admin
1 Min Read

અયોધ્યા કેસની સુનાવણી પુરી થઈ ગઈ છે અને કોર્ટે ફેંસલો સુરક્ષિત રાક્યો છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યોની બેંચ સામે તમામ પક્ષકારોએ દલીલ કરી હતી. આ દરમિયાન મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવનની ઘણી ચર્ચા થઈ.  તેમણે સુપ્રીમ કોર્ટમાં નકશાની કોપી ફાડી નાંખી હતી. જે બાબત પર સુરતમાં મુસ્લિમ પક્ષના વકીલે વિરોધ નોંધાવ્યો હતો. રાજીવ ધવન સુપ્રીમ કોર્ટમાં સીનિયર વકીલ છે. રાજીવના પિતા શાંતિ સ્વરૂપ ધવન ન્યાયાધીશ, યુકેમાં ભારતના રાજદૂત, પશ્ચિમ બંગાળના રાજ્યપાલ અને લૉ કમિશનના સભ્ય રહી ચુક્યા છે. રાજીવે અલાહાબાદ અને નૈનીતાલથી પ્રાથમિક અભ્યાસ કર્યો છે. જે બાદ તેમણે અલાહાબાદ યુનિવર્સિટી, કેમ્બ્રિજ યુનિવર્સિટી અને લંડન યુનિવર્સિટીમાંથી ઉચ્ચ અભ્યાસ કર્યો છે. તેઓ ઈન્ડિયન લૉ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. 1992માં મંડલ અને બાદમાં 1994માં અયોધ્યા મામલે તેમની દલીલોથી પ્રભાવિત થઈને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ  બનાવવામાં આવ્યા હતા.

Share This Article