રસ્તા પર કે રોડસાઈડ જમવા જાઓ અને એમાં વંદો નીકળે એવી ઘટના તો તમે જોઈ કે સાંભળી હશે પણ જ્યાં ક્લબ મેમ્બર્સ લાખો રૂપિયાની ફી આપતા હોય છે તેવી પ્રતિષ્ઠિત કર્ણાવતી ક્લબના ભોજનમાં વંદો નીકળવાની ઘટના બની છે. આ સાથે જ ક્લબની પ્રતિષ્ઠા પર અનેક સવાલો ઉઠ્યા છે.ક્લબમાં જમવા ગયેલા ગ્રાહક અને ક્લબ મેમ્બરે ક્લબના રસોડાની ગંદકીનો વિડિયો વાયરલ કરી પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. અમદાવાદની બહુચર્ચિત કર્ણાવતી ક્લબના ભોજનમાંથી જીવતો વંદો નીકળવાનો બનાવ બનતા ખળભળાટ મચ્યો હતો.ભોજનમાંથી વંદો નીકળતા ક્લબના મેમ્બર્સ રોષે ભરાયા હતા. તેમણે રસોડામાં જઈને ગંદકીનો વીડિયો બનાવ્યો હતો, જે હાલ સોશિયલ મીડિયમાં વાયરલ થયો છે. ભોજનની ગુણવત્તા ખરાબ હોવાનો મેમ્બર્સે આક્ષેપ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, કર્ણાવતી ક્લબ માત્ર અમદાવાદ જ નહિ, ગુજરાતની પ્રતિષ્ઠિત ક્લબ છે. સૌથી વિશ્વસનીય માનવામાં આવતી ક્લબમાં જ આવા છીંડા સામે આવતા મેમ્બર્સનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો…તો બીજીબાજુ કર્ણાવતી ક્લબના ધિકારીઓએ આ વાતને નકારી દીધી હતી અને આક્ષેપોને ખોટા ગણાવ્યા હતા…જોકે, હાલ સોશિયલ મીડિયામાં ભોજનમાંથી વંદો નીકળ્યો હોવાનો ફોટો અને ક્લબના રસોડામાં ગંદકી જોવા મળતી હોવાનો વિડીયો વાયરલ થતા લાખો રુપિયા આપી મેમ્બર્સ બનેલા અન્ય ક્લબ મેમ્બર્સ પણ ચોંકી ઉઠ્યા છે.
શહેરની પ્રતિષ્ઠિત ક્લબના ભોજનમાંથી નીકળ્યો વંદો, કર્ણાવતી ક્લબના અધિકારીઓએ આક્ષેપો નકાર્યા
You Might Also Like
Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.