જામનગર પંથકમાં રોગચાળાએ ભરડો લીધો છે. ડેન્ગ્યુ અને મલેરિયા તેમજ કોંગો ફીવરના દર્દીઓની સંખ્યામાં દિવસે–દિવસે વધારો થતો જાય છે. જી.જી હોસ્પિટલમાં ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે. છેલ્લા એક મહિનામાં ત્રણ હજારથી વધુ શંકાસ્પદ ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. જેમાંથી 112 લોકોને ડેન્ગ્યુના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ હરકતમાં આવી છે અને ડોર ટુ ડોર સર્વે કરવામાં આવી રહ્યું છે. તેમજ આરોગ્ય વિભાગ દ્વારા લોકોને માહિતી પુસ્તિકા પણ આપવામાં આવી રહી છે અને ગંદકી ન કરવી તેમજ ડેન્ગ્યુને નાથવામાં સહયોગ આપે તેવી અપીલ કરવામાં આવી રહી છે. જામનગરમાં ગ્રામ્ય વિસ્તારની સરખામણીએ શહેરી વિસ્તારમાં ડેન્ગ્યુનો ઉપદ્રવ વધુ છે. ડેન્ગ્યુ મચ્છરએ દિવસે કરડતું મચ્છર હોય છે. વરસાદી પાણીમાં મચ્છરનો ઉદ્ભવ થાય છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા હાલ શહેરમાં પણ કામગીરી કરવામાં આવી રહી છે. તો સાથે સાથે આરોગ્ય વિભાગ દ્વારા જુદી જુદી ટીમો બનાવી તમામ વિસ્તારમાં સર્વે કરવામાં આવી રહ્યો છે.
જામનગરમાં રોગચાળાએ લીધો વિકટ સ્વરૂપ
You Might Also Like
Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.