માંગરોળમાં કોરોના સંક્રમિત પ્રથમ કેસ નોધાયો

admin
1 Min Read

જુનાગઢમાં આવેલા માંગરોળ નજીકનાં શેરીયાખાણનો સેલ્ફ ક્વોરેન્ટાઇન રહેલા ૨૩ વર્ષિય યુવાનનો આજ રોજ રિપોર્ટ કરતાં કોરોના પોઝિટિવ જણાયો હતો. મહત્વનુ છે કે, જૂનાગઢ જિલ્લા કલેક્ટરના જણાવ્યા અનુસાર ૯ મેના રોજ આંધ્રપ્રદેશ ખાતેથી પરત ફરેલા માંગરોળના શેરીયાખાણ ગામે રહેતા ૨૩ વર્ષિય યુવાનનો આંધ્રપ્રદેશ ખાતે નેગેટીવ રિપોર્ટ આવ્યો હતો.  પરંતુ આજરોજ ફરી રિપોર્ટ કરવામાં આવતાં પોઝિટિવ રિપોર્ટ મળી આવ્યો છે.

ઉલ્લેખનીય બાબત એ છે કે તેને માંગરોળના શેરીયાખાણ ગામનો યુવાન માંગરોળ મદરેસામાં સેલ્ફ ક્વોરેન્ટાઇન હોવાના કારણે ગામ કે શહેરના કોઇ પણ વ્યકિત સાથે સંપર્કમાં ન હોવાનું જાણવા મળતા તંત્રને રાહત મળી છે. તેમજ જિલ્લા કલેક્ટર સૌરભ પારઘી અને એસ પી સૌરભ સિંહ દ્વારા માંગરોળની મૂલાકાત લીધી હતી. ત્યારે ખોટી અફવામાં ન આવવા લોકોને અપીલ કરી હતી. આપને જણાવી દઈએ કે આંધ્રપ્રદેશથી આવેલો આ યુવાન સ્થાનિક આગેવાનો તથા વહીવટીતંત્ર દ્વારા નક્કી કરવામાં આવેલી ફેસિલિટી કોરોન્ટાઇનમાં જ હતો.  જેથી કોઈના સંપર્કમા આવ્યો નથી. ત્યારે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Share This Article