જુનાગઢમાં દીપડાનો આતંક, દીપડા દ્વારા માનવ હુમલાનો બનાવ સામે આવ્યો

admin
1 Min Read

જૂનાગઢમાંથી દીપડા દ્વારા માનવ હુમલાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. મહત્વનુ છે કે, ગીરનાર સીડીના ૨૦૦ પગથીયા પાસે એક વૃધ્ધ ભગતને દીપડાએ ફાડી ખાધો હતો. મળતી વિગત અનુસાર જુનાગઢમા અવારનવાર હિંસક પ્રાણીઓ માનવ વસાહતમાં આવી જવાના બનાવો છાસવારે સામે આવી રહયા છે.

ત્યારે ગિરનારના જંગલમાં અનેક પ્રાણીઓ વસવાટ કરતા હોય છે.  ત્યારે શિકારની શોધમાં આ પ્રાણીઓ માનવ વસાહતમાં પણ આવી જતા હોય છે. ત્યારે જૂનાગઢમાંથી દીપડા દ્વારા માનવ હુમલાનો બનાવ સામે આવ્યો છે.  તો સીતળા મંદિરમા સેવા પૂજા કરતા રામાબાપાને દીપડો ઉઠાવી ગયો હતો.

તેમજ વન વિભાગને જાણ થતાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ત્યારે પોલીસને જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ વન વિભાગ દ્વારા હિંસક પ્રાણીઓને માનવ વસાહતથી દૂર રાખવા પ્રયત્નો કરવામાં આવે એવી લોકમાગ ઉઠવા પામી હતી.

Share This Article